મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી) મામલતદાર કચેરી શહેરમા જ બનાવવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને અલ્ટિમેટમ


SHARE













માળીયા (મી) મામલતદાર કચેરી શહેરમા જ બનાવવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને અલ્ટિમેટમ

માળીયા (મી) શહેર આમ આદમી પાર્ટી ટીમ દ્વારા તથા જીલ્લા ટીમ સાથે રહીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જણાવ્યુ છે કે, લાંબા સમયથી વિવાદમાં રહેલ મામલતદાર કચેરી ઓફીસનું પુનઃનિર્માણ કરાવવા તથા મામલતદાર કચેરી માળીયા શહેરમાં જ બનાવવા રજુઆત કરવામાં આવી છે વધુમાં જણાવ્યુ છે કે, અમુક સ્વાર્થી રાજકારણીઓ અને ભ્રષ્ટ આગેવાનોના અંગત સ્વાર્થ માટે મામલતદાર કચેરી શહેરથી 15 થી 20 કિલો મીટર દુર બનાવવા સ્થાનિક તંત્રમાં તાલ મેલ થઈ રહ્યો હતો. જેનાથી માળિયા શહેરની 30 હજાર વસ્તી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ખાખરેચી, ઘાંટીલા,ટીકર, મંદરકી, વેજલપર, માનાબા, સુલતાનપુર, ચીખલી, વાધરવા, વિદરકા, હરીપર, ખીરઇ,ફતેપર, રાસંગપર, નવાગામ ,કાજરડા, જેવા ગામડાના અસંખ્ય લોકોને હેરાન થવું પડે તેમ છે. જેથી કરીને હાલમાં આવેદન આપીને અલટીમેટમ આપ્યું છે કે, અગાઉ સ્કુલ, આઇટીઆઇ અને અન્ય સરકારી સેવાઓ શહેરથી દૂર બનાવેલ છે આવી જ રીતે જો મામલતદાર કચેરીને સેન્ટરથી દુર લઈ જવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને જરૂર પડ્યે શહેરીજનોને સાથે રાખીને રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.




Latest News