મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો 11,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સબ સ્ટેશનમાંથી રીયકટરની ચોરીના ગુનામાં મોરબી તાલુકા પોલીસે 3 આરોપીને દબોચી લીધા મોરબી નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં પકડાયેલા 3 આરોપીના રિમાન્ડ મંજૂર  મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: 2 ની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે શિક્ષણ સાથે સંસ્કાર, માનવતા, પ્રકૃતિપ્રેમ અને પ્રતિભાનો અનોખો સંગમ મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય રમત ગમત દિવસની ઉજવણી કરાઇ હળવદના ચંદ્રગઢ અને રાયસંગપર ગામે જુગારની જુદીજુદી 2 રેડ 13 શખ્સો 1.85 લાખથી વધુના રોકડ સાથે પકડાયા મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર તાલુકા શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રંગતરંગ મહોત્સવનું આયોજન


SHARE





મોરબીના રાજપર તાલુકા શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રંગતરંગ મહોત્સવનું આયોજન

મોરબીમાં ગત તા.12 જાન્યુઆરીના રોજ શ્રી રાજપર તાલુકા શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રંગતરંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાર્યક્રમની શરૂઆત દુર્લભજીભાઈ દેથરીયા(ધારાસભ્ય ટંકારા પડધરી) ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.મહેમાનોનું અભિવાદન રાજપર તાલુકા શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતુ.દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પ્રારંભિક પ્રવચન કરી શાળાના બાળકોને અનેરા ઉત્સાહમાં લાવી દીધા હતા.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગળચર (નાયબ DPO  તથા TPO), અશોકભાઈ દેસાઈ (પ્રમુખ તાલુકા પંચાયત), નયનભાઈ અઘારા (સદસ્ય જિલ્લા પંચાયત) કેતનભાઇ મારવાણીયા (સદસ્ય તાલુકા પંચાયત), રવિભાઈ સનાવડા, વિશાલભાઈ ઘોડાસરા, વિજયભાઈ કોટડીયા, દિનેશભાઈ વડસોલા, વિનોદભાઈ ગોધાણી ,ભરતભાઈ મારવણીયા( સરપંચ રાજપર ગ્રામ પંચાયત) મનહરભાઈ અઘારા(ઉપસરપંચ  રાજપર ગ્રામ પંચાયત) કરમશીભાઈ મારવણીયા, મહેશભાઈ બાવરવા તથા SMC સભ્યો નવજીવન ગ્રુપના સદસ્ય રૂરલ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન લીલા લેરના સદસ્ય, ગામ લોકો, વાલીશ્રીઓ તથા કાયમી શાળામાં ઉપયોગી સ્વયંસેવકોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.શાળાના શિક્ષક મિત્રોએ બાળકોમાં રહેલી શક્તિઓને બહાર કાઢવા અને બાળકોની શક્તિઓને ખીલવવા માટે ખુબ જહેમત ઉઠાવી હતી.શાળાના બાળકો દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે ઐતિહાસિક નાટકો, કોમેડી નાટકો, એક પાત્રિય અભિનય, ગીત સંગીતની ભવ્યથી અતિભવ્ય રજૂઆત કરી દરેક હાજર રહેલા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.કાર્યક્રમના અંતમાં ગામના દાતા પંકજભાઈ  નરભેરામભાઈ વડગાસીયાએ તમામને ગરમાગરમ નાસ્તો કરાવ્યો હતો. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.




Latest News