મોરબીના રાજપર તાલુકા શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે રંગતરંગ મહોત્સવનું આયોજન
મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વૃદ્ધનું જટિલ થાપાનું ઓપરેશન સફળતાપૂર્વક કરાયુ
SHARE
મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વૃદ્ધનું જટિલ થાપાનું ઓપરેશન સફળતાપૂર્વક કરાયુ
મોરબીમાં પણ રાજકોટ અમદાવાદ અને વડોદરા જેવી સારી મેડિકલ સુવિધાઓ મળી રહે તે માટે છેલ્લા કેટલાક સમયથી આયુષ હોસ્પિટલ સહિતની મોટી હોસ્પિટલો કાર્યરત છે જેમાં જટિલતા ભર્યા કેસો પણ લેવામાં આવે છે અને સફળતાપૂર્વક તેની સર્જરી કરવામાં આવતી હોય છે જેમાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે વૃદ્ધનું જટિલ એવું થાપાનો ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
મળતી વિગતો પ્રમાણે જેશાભાઈ સંખાવરા (ઉંમર ૭૮વર્ષ) ને થાપાનું ફ્રેકચર થયેલ હોવાથી આયુષ હોસ્પિટલમાં દાખલ થયેલા હતા.પરંતુ દર્દીને ડાયાબિટીસ, હાયપરટેન્શન, મગજનો લકવો જેવી બિમારીઓ પણ હતી.આમ તો આવા દર્દીઓને કમરમાં મણકાઓ વચ્ચેની જગ્યામાં સોઈથી ઈન્જેકશન આપીને કમરથી નીચેનો ભાગ બેભાન કરવામાં આવતો હોયછે.પરંતુ જેશાભાઇને વધારે ઉંમરના લીધે મણકાઓની વચ્ચેની જગ્યા એકદમ ઓછી થઈ ગયેલી હોવાથી એનેસ્થેટીસ્ટ ટીમ દ્વારા ઘણા બધા પ્રયત્નો પછી પણ એ શક્ય થઈ શકયું નહીં.ઉપરાંત દર્દીની બીજી બિમારીઓને લીધે પૂરા બેભાન કરવામાં પણ જોખમ વધારે હતું અને છેલ્લો વિકલ્પએ હતો કે જે પગમાં ફ્રેકચર છે તે એક પગની નસોને બ્લોક કરીને એક જ પગ સારી રીતે બેભાન થાય તો ઓપરેશન થાય નહીંતર અગાઉ જણાવેલ બધા જોખમોને લીધે દર્દીને ઓપરેશન કર્યા વગર રજા લેવાની થાય.
પરંતુ એનેસ્થેટીસ્ટ ડોક્ટર સ્વેતા પ્રજાપતિ અને ડોક્ટર અદિતી ઝાલાવાડીયાએ છેલ્લો વિકલ્પ અમલમાં મૂકવાનું જોખમ લીધું અને ઓપરેશન થિયેટરમાં ,PNS મશીનની મદદથી Lumbar- Sacral Plexus Block આપ્યો, ૧૫-૨૦ મિનિટમાં દર્દીનો પગ બેભાન થઇ ગયો, ઓપરેશન સારી રીતે પતી ગયુ અને દર્દીને ઓપરેશન બાદ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું અને દર્દીના સગા પણ ખૂબજ સંતોષ અને આનંદમાં છે કે એમના દર્દીને પીડામાંથી રાહત મળી. આમ મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે જટિલ ગણાતા ઓપરેશનને પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.









