વાંકાનેરના ઢૂંવા પાસે કારખાનામાં રિવર્સ આવતી કાર હેઠળ કચડાઈ જવાથી  ઇજા પામેલ દોઢ વર્ષની બાળકીનું સારવારમાં મોત મોરબીમાં ગ્રાહકોને હોમ લોન તથા વાહન લોન બાબતે બેન્ક તથા ફાયનાન્સ તરફથી થતી બીન અધિકૃત કનડગત દુર કરો-ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી
Breaking news
Morbi Today

મોરબીના બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયનો સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો


SHARE











મોરબીના બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયનો સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો

મોરબી તાલુકાનાં બરવાળા ગામે આવેલ સરસ્વતી ભગવતી વિદ્યાલયના 50 વર્ષ પૂરા થયેલ છે જેથી કરીને સુવર્ણ જયંતી મહોત્સવ, સ્નેહમિલન તથા ગુરુ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સ્વ.જેરાજભાઈ કરમશીભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 95 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, શાળાના આચાર્ય, શાળા પરિવાર, ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ-બહેનો, સરપંચ, બરવાળા ગામના યુવાનો, અને કમલેશભાઈ બાવરવા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેમસ્વામીએ બ્લડ ડોનેશન કેમ્પના આયોજકો, રક્તદાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બરવાળા ગામના સરપંચ તેમજ ગામના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News