મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો: રાજપૂત સમાજના પ્રર્વ પ્રમુખની રજૂઆત ટંકારાના મીતાણા ડેમ અને નદીનું પાણી ખેતી માટે અનામત રાખવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં ડૉ.પ્રશાંત મેરજાની પુણ્યતિથિ નિમિતે મેડિકલ કેમ્પનું આયોજન મોરબીમાં સગીરાના અપહરણ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના લક્ષ્મીનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર પરિણીત ઢગો ઝડપાયો,જેલ હવાલે મોરબીમાંથી ઉધારમાં ટાઇલ્સ લઈને આપેલ ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા કોર્ટનો આદેશ હળવદ નજીકથી કતલખાને લઈ જવાતી 4 ભેંસને બચાવી, 2.12 લાખનો મુદામાલ કબ્જે: બે આરોપીની ધરપકડ હળવદના જુના અમરાપર ગામે શેરીમાં બાળકના રમવા બાબતે માથાકૂટ કરીને મહિલા અને તેની સાસુને પાઈપથી માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઓરડીમાં ગેસની ગુંગણામણથી બે યુવાનના મોત


SHARE











માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઓરડીમાં ગેસની ગુંગણામણથી બે યુવાનના મોત

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રેલવે ફાટક પાસે આવેલ ઓરડીમાં રહેતા બે યુવાનો ઓરડીમાં સુતા હતા અને સવારે ઊઠ્યા ન હતા જેથી અન્ય કર્મચારીઓએ ઓરડી ઉપર જઈને જોતા તે બંને બેભાન અવસ્થામાં હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને બંને યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેથી ફોરેન્સિક પીએમ કરાવતા તે બંને યુવાનનું મોત ગુંગણામણથી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રેલવે ફાટક પાસે આવેલ રમેશભાઈ રાઠોડની ઓરડીમાં રહેતા અને શ્રીજી શિપિંગ કંપનીમાં મજૂરી કામ કરતા મૂળ ઝારખંડના રહેવાસી કુલદીપકુમાર ચુરામણ મહતો (21) અને ગોપાલકુમાર ગિરધારી મહતો (20) નામના બે યુવાનો તા. 17 ના રોજ રાત્રિના 11:30 વાગ્યે જમીને પોતાની ઓરડીમાં સુઈ ગયા હતા અને બીજા દિવસે તા. 18 ના રોજ સવારે ઊઠ્યા ન હતા જેથી કરીને ત્યાં સાથે કામ કરતા કર્મચારીઓ તેની ઓરડી ઉપર જઈને જોતા આ બંને યુવાન બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તે બંનેને મૃત જાહેર કર્યા હતા અને બંને યુવાનની લાશનું ફોરેન્સિક પીએમ કરાવતા બંને યુવાનનું ગુંગણામણથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની ગણેશભાઈ ઉર્ફે જીવણ ટીકોભાઈ રવિદાસ (30) રહે. હાલ રમેશભાઈ રાઠોડની ઓરડીમાં મોટા દહીસરા મોરબી મૂળ રહે. ઝારખંડ વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે વધુમાં સાથે કામ કરતાં કર્મચારની કહેવા મુજબ જે ઓરડીમાં રહેતા હતા ત્યાં જ રસોઈ બનાવતા હતા જેથી કરીને કોઈ કારણોસર ઓરડીમાં ગેસનું ગુંગણામણ થવાથી તે બંનેના મોત નિપજ્યાં છે. 






Latest News