મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઓરડીમાં ગેસની ગુંગણામણથી બે યુવાનના મોત


SHARE













માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઓરડીમાં ગેસની ગુંગણામણથી બે યુવાનના મોત

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રેલવે ફાટક પાસે આવેલ ઓરડીમાં રહેતા બે યુવાનો ઓરડીમાં સુતા હતા અને સવારે ઊઠ્યા ન હતા જેથી અન્ય કર્મચારીઓએ ઓરડી ઉપર જઈને જોતા તે બંને બેભાન અવસ્થામાં હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને બંને યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેથી ફોરેન્સિક પીએમ કરાવતા તે બંને યુવાનનું મોત ગુંગણામણથી થયું હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રેલવે ફાટક પાસે આવેલ રમેશભાઈ રાઠોડની ઓરડીમાં રહેતા અને શ્રીજી શિપિંગ કંપનીમાં મજૂરી કામ કરતા મૂળ ઝારખંડના રહેવાસી કુલદીપકુમાર ચુરામણ મહતો (21) અને ગોપાલકુમાર ગિરધારી મહતો (20) નામના બે યુવાનો તા. 17 ના રોજ રાત્રિના 11:30 વાગ્યે જમીને પોતાની ઓરડીમાં સુઈ ગયા હતા અને બીજા દિવસે તા. 18 ના રોજ સવારે ઊઠ્યા ન હતા જેથી કરીને ત્યાં સાથે કામ કરતા કર્મચારીઓ તેની ઓરડી ઉપર જઈને જોતા આ બંને યુવાન બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તે બંનેને મૃત જાહેર કર્યા હતા અને બંને યુવાનની લાશનું ફોરેન્સિક પીએમ કરાવતા બંને યુવાનનું ગુંગણામણથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ અંગેની ગણેશભાઈ ઉર્ફે જીવણ ટીકોભાઈ રવિદાસ (30) રહે. હાલ રમેશભાઈ રાઠોડની ઓરડીમાં મોટા દહીસરા મોરબી મૂળ રહે. ઝારખંડ વાળાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે વધુમાં સાથે કામ કરતાં કર્મચારની કહેવા મુજબ જે ઓરડીમાં રહેતા હતા ત્યાં જ રસોઈ બનાવતા હતા જેથી કરીને કોઈ કારણોસર ઓરડીમાં ગેસનું ગુંગણામણ થવાથી તે બંનેના મોત નિપજ્યાં છે. 




Latest News