હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાને જાત જલાવીને કર્યો આપઘાત


SHARE







મોરબીમાં બીમારીથી કંટાળીને યુવાને જાત જલાવીને કર્યો આપઘાત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામેશ્વર પોટરી નળિયાના કારખાનામાં મજુરની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન બે ત્રણ દિવસથી બીમાર રહેતો હતો જેથી તેને મનો મન લાગી આવ્યું હતું અને તેને ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરીને પોતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી યુવાન આખા શરીરે દાઝી ગયો હતો અને તેનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રામેશ્વર પોટરી નામના નળિયાના કારખાનામાં મજુરની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા જગજીવનભાઈ ઉર્ફે જગદીશભાઈ મગનભાઈ ચૌહાણ (45)એ કારખાનામાં મજુરની ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને પોતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી આખા શરીરે દાઝી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવવા અંગેની દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણ (37) રહે. નજરબાગ રેલવે સ્ટેશન પાસે બૌદ્ધનગર સોસાયટી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન બે ત્રણ દિવસથી બીમાર રહેતો હતો જેથી તેને મનોમન લાગી આવ્યું હતું અને તેણે ગઈકાલે સવારે 7:30 વાગ્યાના અરસામાં ઓરડીની અંદર પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી તેનું મોત નીપજયું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News