મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટું નજીક બાઇક સવાર યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે યુવાનનું મોત


SHARE













મોરબીના ઘુંટું નજીક બાઇક સવાર યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે યુવાનનું મોત

મોરબી-હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામની પાસે ગૌશાળા નજીક બાઇક ચાલકને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો.જેથી કરીને ઘટના સ્થળે જ મૂળ હળવદના દલવાડી યુવાનનું મોત નિપજેલ છે.ડેડબોડી પીએમ માટે લાવવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટું ગામે તપોવન ગૌશાળાની સામેથી બાઇક લઈને પસાર થઈ રહેલા રાજેશ ચતુરભાઈ સોનગ્રા (ઉંમર ૩૪) રહે. હળવદના બાઇકને અજાણ્યા ટ્રક ટ્રેઇલરના ચાલકે તા.૧૮ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં હડફેટે લીધો હતો.જેથી કરીને માથા તથા શરીરના ભાગે થયેલ ગંભીર ઇજાઓના પગલે રાજેશ ચતુરભાઈ સોનગ્રા નામના હળવદના દલવાડી યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે તેના ડેડબોડીને પીએમ માટે મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યું હતું અને બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા દ્વારા પ્રાથમિક તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધા સારવારમાં

હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી શરણેશ્વર સોસાયટી ખાતે રહેતા રતનબેન મગનભાઈ દલવાડી નામના ૬૭ વર્ષીય વૃદ્ધા તા.૧૭ ના સાંજના સાતેક વાગ્યના અરસમાં શરણેશ્વર મંદિર પાસેથી પગપાળા રોડ ક્રોસ કરતા હતા.ત્યારે અજાણ્યા મોટરસાયકલના ચાલકે રતનબેનને હડફેટે લીધા હતા.જેથી ઈજા પામેલ રતનબેનને વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા પોલીસ દ્વારા નોંધ કરીને આ બાબતે વધુ તપાસ શરૂ કરાયેલ છે.

મારામારીમા ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે લાલપર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા પારૂલબેન માવજીભાઈ વણોલ (૩૬) રહે.ખાખરાળા ને ઇજાઓ પહોંચી હતી.બનાવને પગલે તેઓને સિવિલ હોસ્પિટલે સારવાર માટે એડમિટ કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસ સુત્રોને જાણ કરાતા સ્ટાફના જીલુભાઇ ગોગરા દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવની આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામે રહેતા મનોજભાઈ દેવજીભાઈ વાંભી (ઉમર ૩૫) નામના યુવાનને લાલપર ગામના સ્મશાન સામે અજાણ્યા વાહન સાથે અકસ્માત બનાવમાં ઇજાઓ થતા તેને પણ મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

જેતપર રોડ મારામારી

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો ભુપતભાઈ મોહનભાઈ કઠાત નામનો ૩૬ વર્ષનો યુવાન તા.૧૮ ના બપોરના બે વાગ્યાના અરસામાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામે ત્રણ રસ્તા પાસે આવેલ દરગાહ નજીક હતો.ત્યાં તેને કોઈ કારણોસર મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાઇ છે.




Latest News