મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ આજે બ્રાહ્મણો તથા અન્ય સમાજ માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે આ સંસ્થાના પ્રમુખ તરીકે સતત ૧૫ વર્ષ સુધી ભુપતભાઈ પંડ્યાએ સેવા આપી હતી અને સમાજના આગેવાનો સાથે મળી પરશુરામ ધામનો ખૂબ જ વિકાસ કર્યો હતો તેમજ સતત સમાજને સંગઠીત બનાવવા તેઓ પ્રયત્ન શીલ રહ્યા હતા. આટલું જ નહીં તેમણે દર રવિવારે મહાપ્રસાદ, કોરોના સમયે કેર સેન્ટર, વિવિધ ધાર્મિક આયોજનો તથા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન જેવા અનેક સફળ કાર્યક્રમો કર્યા હતા હાલમાં તેઓની નાદુરસ્ત તબિયતને લીધે તેમણે રાજીનામું આપ્યું હતું અને પરશુરામ ધામા માટે યથાયોગ્ય સહકાર આપવાની તેમણે ખાતરી આપી હતી. જેથી તેઓ સેવા નિવૃત થયેલ છે અને તેમની પરશુરામ ધામ અને સમાજ માટેની સેવાની કદર કરીને સમાજના આગેવાનો દ્વારા તેમના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ પરશુરામ ધામના નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાને જવાબદારી સોંપવામાં આવેલ છે ત્યારે તેઓનો આવકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડો.અનિલભાઈ મહેતા, ડો. બી.કે.લહેરૂ, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, મુકુંદભાઈ જોશી, સુરેશભાઈ જોશી, વિનુભાઈ ભટ્ટ, દિપભાઈ પંડ્યા, પત્રકાર જીજ્ઞેશભાઇ ભટ્ટ, પત્રકાર હિમાંશુભાઇ ભટ્ટ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને ભૂપતભાઈ પંડયાની કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી. અને તેઓની તંદુરસ્તી માટે પરશુરામ દાદાને સહુ કોઈએ પ્રાર્થના કરી હતી.






Latest News