મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી પરશુરામ ધામના પાયાના પથ્થર ભુપતભાઈ સેવા નિવૃત: નવા પ્રમુખ હસુભાઈ પંડ્યાનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ આજે બ્રાહ્મણો તથા અન્ય સમાજ માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે આ સંસ્થાના પ્રમુખ તરીકે સતત ૧૫ વર્ષ સુધી ભુપતભાઈ પંડ્યાએ સેવા આપી હતી અને સમાજના આગેવાનો સાથે મળી પરશુરામ ધામનો ખૂબ જ વિકાસ કર્યો હતો તેમજ સતત સમાજને સંગઠીત બનાવવા તેઓ પ્રયત્ન શીલ રહ્યા હતા. આટલું જ નહીં તેમણે દર રવિવારે મહાપ્રસાદ, કોરોના સમયે કેર સેન્ટર, વિવિધ ધાર્મિક આયોજનો તથા વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન જેવા અનેક સફળ કાર્યક્રમો કર્યા હતા હાલમાં તેઓની નાદુરસ્ત તબિયતને લીધે તેમણે રાજીનામું આપ્યું હતું અને પરશુરામ ધામા માટે યથાયોગ્ય સહકાર આપવાની તેમણે ખાતરી આપી હતી. જેથી તેઓ સેવા નિવૃત થયેલ છે અને તેમની પરશુરામ ધામ અને સમાજ માટેની સેવાની કદર કરીને સમાજના આગેવાનો દ્વારા તેમના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ પરશુરામ ધામના નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાને જવાબદારી સોંપવામાં આવેલ છે ત્યારે તેઓનો આવકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડો.અનિલભાઈ મહેતા, ડો. બી.કે.લહેરૂ, એડવોકેટ જગદીશભાઈ ઓઝા, મુકુંદભાઈ જોશી, સુરેશભાઈ જોશી, વિનુભાઈ ભટ્ટ, દિપભાઈ પંડ્યા, પત્રકાર જીજ્ઞેશભાઇ ભટ્ટ, પત્રકાર હિમાંશુભાઇ ભટ્ટ સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને ભૂપતભાઈ પંડયાની કામગીરીને સહુ કોઈએ બિરદાવી હતી. અને તેઓની તંદુરસ્તી માટે પરશુરામ દાદાને સહુ કોઈએ પ્રાર્થના કરી હતી.




Latest News