મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE







હળવદના ટીકર પાસે નર્મદાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

હળવદ તાલુકાના ટીકર ગામથી મયુરનગરના રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં કોઈપણ કારણોસર પડી જવાને કારણે યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પરિવારજને હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે આવેલ કોળી વાસમાં રહેતો સંજય ઉર્ફે વિપુલ બાબુભાઈ વલીયાણી (22) નામનો યુવાન કોઈપણ કારણોસર ટીકર ગામથી મયુરનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી ગયો હતો જેથી કરીને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે સંજયનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ચંદુભાઈ અમરશીભાઈ વલિયાણી (46) રહે. ટીકર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના ચાચાપર ગામે રહેતા લાખાભાઈ ચૌહાણ (61) નામના વૃદ્ધને ગામમાં કિશન હાર્ડવેર પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના પાનેલી ગામે રહેતા અરજણભાઈ જીવણભાઈ ચાવડા નામના વ્યક્તિ જોધપર નદી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News