ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની શ્રી દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ ખાતે ફેવરિટ ટીચર એવોર્ડ આપીને શિક્ષકને સન્માનિત કરાયા


SHARE













મોરબીની શ્રી દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ ખાતે ફેવરિટ ટીચર એવોર્ડ આપીને શિક્ષકને સન્માનિત કરાયા

મોરબીની શ્રેષ્ઠ શાળા એવોર્ડ મેળવેલ અને ૬૩ વર્ષોથી મોરબીમાં કાર્યરત એવી શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત શ્રી દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે જુદા જુદા કાર્યક્રમો આપતી હોય છે.તે અંતર્ગત તાજેતરમાં જ શાળાના સંચાલક મંડળ દ્વારા ફેવરિટ ટીચર્સ એવોર્ડ આપીને શિક્ષકોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.જેમાં વિદ્યાર્થીઓને પોતાના ફેવરિટ ટીચરને પસંદ કરવાની તક આપવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓએ પસંદ કરેલ શિક્ષકને ફેવરિટ ટીચર એવોર્ડ આપીને શાળા દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.

ફેવરિટ ટીચર્સને સન્માનવાનો આ કાર્યક્રમ મોરબીની દોશી એમ.એસ. અને ડાભી એન.આર.હાઇસ્કૂલ ખાતે "ફેવરીટ ટીચર" એવોર્ડ કાર્યક્રમ શાળાના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતાના પ્રમુખ સ્થાને અને પૂર્વ કેન્દ્રીયમંત્રી મોહનભાઈ કુંડારીયાના મુખ્ય મહેમાન પદે  યોજાયેલ જેમાં અતિથિ વિશેષ તરીકે શિક્ષણવિદ લખમણભાઇ કંજારીયા ઉપસ્થિત રહ્યા હતા.ફેવરિટ ટીચર એવોર્ડ વિજેતા શિક્ષક અજયભાઈ ધાંધલ્યાની ફેવરિટ ટીચર્સ એવોર્ડ વિજેતા શિક્ષક તરીકેની કામગીરીને એવોર્ડ આપી બીરદાવેલ હતી.અજયભાઈ ધાંધલીયાને સન્માનપત્ર, સાલ તથા રૂા.૫૦૦૧ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં સ્વાગત આચાર્ય ભરતભાઈ ગોપાણીએ કરેલ અને આભાર દર્શન બૈજુભાઈ દવેએ કર્યુ હતુ.ભાવિષાબેન અપારનાથીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ હતું.આ પ્રસંગે સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થી હાજર રહ્યા હતા.






Latest News