મોરબીના કલેકટરના હસ્તે સંજય બાપોદરિયાનું કરાયું સન્માન
SHARE
મોરબીના કલેકટરના હસ્તે સંજય બાપોદરિયાનું કરાયું સન્માન
દર વર્ષે ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. જે અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૫ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી જે.એ.પટેલ મહિલા કૉલેજમાં કરવામાં આવી હતી જેમાં ગૌશાળા પ્રાથમિક શાળા-મોરબીના શિક્ષક અને ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ભાગ નંબર- ૨૪૧ ના BLO સંજયકુમાર બાપોદરિયાનું બીએલઓ તરીકેની સેવાઓ અને અનુકરણીય કામગીરી બદલ મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.