માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી વાંકાનેરમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માત બંને ઇજાગ્રસ્તનો સારવારમાં મોરબીમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિ પકડાયા હળવદના જુના દેવળીયા ગામે ઝૂંપડામાંથી દારૂની નાની મોટી 985 બોટલ દારૂ સાથે એક પકડાયો, દારૂ આપનારની શોધખોળ મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારામાં પાટીદાર સમાજનો રવિવારે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાશે


SHARE











ટંકારામાં પાટીદાર સમાજનો રવિવારે છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાશે

ટંકારામાં શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ વસંત પંચમીના  તા.2 ને રવિવારના રોજ રાજકોટ- મોરબી હાઇવે ઉપર આવેલ દેવકુવર શૈક્ષણિક સંકુલ ટંકારા ખાતે યોજાશે જેમાં 27 યુગલો પ્રભુતામાં ડગ માંડશે. આ સમૂહ લગ્ન ઉત્સવમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ, રાજકીય અને સામાજિક આગેવાનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે. અને નવયુગલને આશીર્વાદ આપશે.

સમૂહલગ્ન સાથે સ્નેહમિલન, વિદ્યાર્થી સત્કાર સમારોહ, દાતાઓનો સન્માન તથા ભોજન સમારંભ યોજાશે આ સમૂહલગ્નમાં દાતાઓના સહકારથી કન્યાઓને કરિયાવર પણ આપવામાં આવશે અને આ કાર્યક્રમનું આયોજન શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા તથા યુવા કમિટી, કારોબારી કમિટી, મહિલા સમિતિ દ્વારા કરાયેલ છે.






Latest News