મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબીના જારીયા પરિવારના આંગણે સોમવારે કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીરનો સંતવાણી કાર્યક્રમ


SHARE











મોરબીના જારીયા પરિવારના આંગણે સોમવારે કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીરનો સંતવાણી કાર્યક્રમ

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ મગનભાઈ જારીયાના પત્ની સ્વ.પૂરીબેન લાખાભાઈ જારીયાનું ગત તા.૨૪-૧  ના રોજ અવસાન થયેલ હોય તે નિમિત્તે તેઓની ઉત્તરક્રિયા પ્રસંગે તા.૩-૨ ને સોમવારના રોજ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

મોરબીના જારીયા પરિવારના આંગણે આગામી તા.૩-૨-૨૫ ને સોમવારના રોજ ઉત્તરક્રિયા નિમિત્તે આ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.સંતવાણીના આ કાર્યક્રમમાં લોકગાયક કિર્તીદાનભાઈ ગઢવી તેમજ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ઉપસ્થિત રહેશે.તા.૩ ને સોમવારે રાત્રિના નવ કલાકે મોરબીના એવન્યુ પાર્ક રવાપર રોડ ખાતે આવેલ લાખાભાઈ જારીયાના નિવાસસ્થાન ખાતે આ સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જારીયા પરિવારના લાખાભાઈ જારીયા, રાજેશભાઈ જારીયા, રમેશભાઈ જારીયા, દિનેશભાઈ જારીયા, કાનજીભાઈ જારીયા, અશ્વિનભાઈ જારીયા તથા ભુપતભાઈ જારીયા દ્વારા આ સંતવાણીના કાર્યક્રમનો લાભ લેવા મોરબીવાસીઓને જાહેર અપીલ કરાઇ છે.






Latest News