હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા


SHARE







મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા

તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા એડવોકેટ ફેનીલભાઈ ઓઝા, અશોકભાઈ દામાણી, મેનાઝબેન પરમાર સહિત અનેક એડવોકેટની નોટરી તરીકે વરણી કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને છ જેટલા વિપ્ર એડવોકેટની પણ નોટરી તરીકે વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

હાલમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી વરણીઓમાં મોરબીના એડવોકેટ ફેનિલભાઈ ઓઝા, ભરતભાઈ રાવલ, ચેતનભાઇ દવે, નીતાબેન ત્રિવેદી, યતિનભાઈ દવે, ઉમેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવોને નોટરી તરીકે નિમવામાં આવ્યા હોય બ્રહ્મ સમાજના જુના નોટરી બી.કે. ભટ્ટ, રાજેશભાઈ જોશી અને મનીષભાઈ જોશી સહિતનાઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી અને બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય વકીલ મિત્રોએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.તે ઉપરાંત વધુમાં મળતી માહિતી પ્રમાણે એડવોકેટ અશોકભાઈ દામાણી, મેનાઝબેન પરમાર, જાગૃતીબેન ભીંડોરા અને જયંતીભાઈ સેવરા સહિતના અન્ય એડવોકેટ મિત્રોની પણ નોટરી તરીકે હાલ વરણી કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ હજુ વધુ નોટરીઓની નિંમણૂક થાય તેવા અણસાર મળી રહ્યા છે.






Latest News