મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા


SHARE













મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા

તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા એડવોકેટ ફેનીલભાઈ ઓઝા, અશોકભાઈ દામાણી, મેનાઝબેન પરમાર સહિત અનેક એડવોકેટની નોટરી તરીકે વરણી કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને છ જેટલા વિપ્ર એડવોકેટની પણ નોટરી તરીકે વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

હાલમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી વરણીઓમાં મોરબીના એડવોકેટ ફેનિલભાઈ ઓઝા, ભરતભાઈ રાવલ, ચેતનભાઇ દવે, નીતાબેન ત્રિવેદી, યતિનભાઈ દવે, ઉમેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવોને નોટરી તરીકે નિમવામાં આવ્યા હોય બ્રહ્મ સમાજના જુના નોટરી બી.કે. ભટ્ટ, રાજેશભાઈ જોશી અને મનીષભાઈ જોશી સહિતનાઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી અને બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય વકીલ મિત્રોએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.તે ઉપરાંત વધુમાં મળતી માહિતી પ્રમાણે એડવોકેટ અશોકભાઈ દામાણી, મેનાઝબેન પરમાર, જાગૃતીબેન ભીંડોરા અને જયંતીભાઈ સેવરા સહિતના અન્ય એડવોકેટ મિત્રોની પણ નોટરી તરીકે હાલ વરણી કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ હજુ વધુ નોટરીઓની નિંમણૂક થાય તેવા અણસાર મળી રહ્યા છે.






Latest News