તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં પશુ આરોગ્ય મેળાનું આયોજન


SHARE











મોરબી જીલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં પશુ આરોગ્ય મેળાનું આયોજન

જિલ્લા પંચાયત મોરબી (પશુપાલન વિભાગ) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૮, ૧૯, ૨૦/૧૧/૨૦૨૧ દરમ્યાન જિલ્લાના ૨૪ ગામોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ પસાર થવાનો છે તે ગામોમાં જિલ્લા પંચાયતની દરેક સીટ દીઠ એક પશુ આરોગ્ય મેળા/ જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કેમ્પનો સમય સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ રહેશે.આત્મનિર્ભર ગ્રામ યાત્રા રૂટમાં આવતાં કાર્યક્રમના સ્થળ પર યોજાનાર પશુ આરોગ્ય કેમ્પમાં બીમાર પશુઓને રોગ નિદાન અને સારવાર, જાતીય આરોગ્ય સારવાર, સર્જિકલ સારવાર, કૃમિનાશક દવા કેમ્પના સ્થળે વિનામુલ્યે પશુપાલન વિભાગ તરફથી આપવામાં આવશે. વધુમાં વધુ પશુપાલકોને આ સેવાનો લાભ લેવા જિલ્લાના નાયબ પશુપાલન નિયામકની યાદીમાં જણાવેલ છે.






Latest News