મોરબીમાં પત્રકાર તરીકેની ઓળખ આપીને એક લાખની ખંડણી માંગવાના ગુનામાં વિશાલ સેજપાલ સહિત બે ની ઘરપકડ મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને યુવાનને મારમાર્યો મોરબીના 88 બાકીદારોની મિલકત સીલ: વેરો ન ભરનારા 2 આસામીના નળ કનેક્શન કટ મોરબીના રફાળેશ્વર ગામે પેટા આરોગ્ય કેન્દ્ર ફાળવવા જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત મોરબીના લડાયક-લોકપ્રિય નેતા અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય માટે આજે હનુમાન ચાલીસાના સમૂહગાનનું ઠેરઠેર આયોજન મોરબીમાં રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત વાંકાનેર નજીક ચાલીને રોડ ક્રોસ કરતા વૃદ્ધને બોલેરોના ચાલકે હડફેટે લેતા અકસ્માત જોખમી ચોરી !: ટંકારાના સાવડી ગામ નજીક ચાલુ વીજ લાઇનમાંથી કાપીને 1800 મીટર એલ્યુમિનિયમ વાયર લઈ ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન


SHARE













મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન

ભારત સરકારના માર્ગદર્શન અનુસાર રેલવે વિભાગમાં આઈ.આઈ.ટી., ડિપ્લોમા પાસ આઉટ ૧૮ થી ૩૬ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગ્રુપ-ડી ની ૩૨૪૩૮ જગ્યાઓની ભરતી માટેની તાજેતરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં RRB WR માટે ૪૬૭૨ જગ્યાઓ ભરવામાં આવશે.

જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મોરબી જિલ્લામાંથી મહત્તમ ઉમેદવારો અરજી કરે અને તેઓને રોજગારી મળે તે હેતુથી જરૂરી માર્ગદર્શન આપવા મોરબી જિલ્લાના ઉમેદવારો માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવશે. આગામી તા. ૭/૨ ના એલ.ઈ.કોલેજ-ડિપ્લોમા અને આઈ.ટી.આઈ.-મોરબી, તા. ૧૦/૨ ના કે.કે.શાહ હાઇસ્કુલ-વાંકાનેર અને એચ.એન.દોશી કોલેજ-વાંકાનેર, અમરસિંહજી હાઇસ્કુલ-વાંકાનેર ખાતે, તા. ૧૧/૨ ના આઈ.ટી.આઈ.-ટંકારામાં અને તા. ૧૨/૨ ના યુ.એન.મહેતા આર્ટસ કોલેજ- મોરબી ખાતે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવશે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, શોભેશ્વર રોડ, મોરબી ખાતે ઉમેદવારો રૂબરૂ મુલાકાત લઈ શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News