10 કિલો મીટરનો ધક્કો કરીને ડીઝલ લેવા આવી અને 2 હાજરનું ડીઝલ આપે આમ ખેતી કરવી કેમ: ચરાડવાના ખેડૂતના હાલબેહાલ મોરબીના કલેક્ટરે વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી: જિલ્લાના લોકોને રાષ્ટ્રહિતના મહાઅભિયાનમાં જોડાવા અપીલ મોરબી નજીક નર્મદાની કેનાલ લીકેજ થતાં ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં તાણ - આંચકી અને હાર્ટ એટેકથી બે યુવાનોના મોત મોરબીના જનતા કલાસીસમાં ધો. 12 કોમર્સના વિદ્યાર્થીઓએ મેળવી ઝળહળતી સિધ્ધી: એડમિશન ઓપન મોરબીમાં સ્નેપચેટથી સંપર્કમાં આવેલ યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ આચરી, ન્યુડ ફોટો વાઇરલ કરવાની ધમકી : ગુનો નોંધાવાતા તપાસ શરૂ હળવદના ગોલાસણ ગામે ઘરમાં જુગાર રમતા બે મહિલા સહિત 6 પકડાયા ટંકારાના સજનપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને સસરા-પુત્રવધૂને એક શખ્સે માર માર્યો: મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન


SHARE











મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન

ભારત સરકારના માર્ગદર્શન અનુસાર રેલવે વિભાગમાં આઈ.આઈ.ટી., ડિપ્લોમા પાસ આઉટ ૧૮ થી ૩૬ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગ્રુપ-ડી ની ૩૨૪૩૮ જગ્યાઓની ભરતી માટેની તાજેતરમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં RRB WR માટે ૪૬૭૨ જગ્યાઓ ભરવામાં આવશે.

જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અનુસાર આ ભરતી પ્રક્રિયા અંતર્ગત મોરબી જિલ્લામાંથી મહત્તમ ઉમેદવારો અરજી કરે અને તેઓને રોજગારી મળે તે હેતુથી જરૂરી માર્ગદર્શન આપવા મોરબી જિલ્લાના ઉમેદવારો માટે નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવશે. આગામી તા. ૭/૨ ના એલ.ઈ.કોલેજ-ડિપ્લોમા અને આઈ.ટી.આઈ.-મોરબી, તા. ૧૦/૨ ના કે.કે.શાહ હાઇસ્કુલ-વાંકાનેર અને એચ.એન.દોશી કોલેજ-વાંકાનેર, અમરસિંહજી હાઇસ્કુલ-વાંકાનેર ખાતે, તા. ૧૧/૨ ના આઈ.ટી.આઈ.-ટંકારામાં અને તા. ૧૨/૨ ના યુ.એન.મહેતા આર્ટસ કોલેજ- મોરબી ખાતે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવશે. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ, શોભેશ્વર રોડ, મોરબી ખાતે ઉમેદવારો રૂબરૂ મુલાકાત લઈ શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News