માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે પરણીતાએ અંતિમ પગલુ ભરી લેતા મોત


SHARE

















મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને પરણીતાનો આપઘાત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામે રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ મૃતક મહિલાના પતિ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા જયશ્રીબેન કિશનભાઇ જોશી (22) એ કોઈ અગમ્ય કણોસર પોતે પોતાની જાતે શનિવારે બપોરે ચારેક વાગ્યા પહેલા ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે મહિલાનું મોત નિપજ્યુ હતું ત્યારબાદ મહિલાના મૃતદેહને તેના પતિ કિશનભાઇ જોશી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને જોઈ તપાસીને  મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હતો જો કે તેણે કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ હવે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા ચલાવી રહ્યા છે




Latest News