મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી બ્રહ્મકુમારી સંસ્થાના વરિષ્ઠ રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ


SHARE













મોરબી બ્રહ્મકુમારી સંસ્થાના વરિષ્ઠ રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી બ્રહ્મકુમારી સંસ્થાના વરિષ્ઠ રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીજીનું તાજેતરમાં નિધન થતા આ સંસ્થામાં ઘેરો શોક વ્યાપી ગયો છે. આ મોરબી બ્રહ્માકુમારી સંસ્થાના વરિષ્ઠ રાજ્યોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી પ્રજાપતિ બ્રહ્માકુમારીમાં વિશ્વવિદ્યાલય સંસ્થામાં 48 વર્ષથી પોતાનું સંપૂર્ણ જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કરી સેવા આપતા હતા જેઓનું તારીખ 6/2/2025 ના ગુરુવારના રોજ અવસાન થયું હતું. તેઓ સંપૂર્ણ ત્યાગી યોગી તપસ્વી અને નમ્રચિત શાંત સ્વભાવ જ્ઞાનગુણોના ભંડાર તથા નિસ્વાર્થ સેવાભાવી હતા. મોરબીના અનેક નામી અનામી બિઝનેસમેનોને પણ આધ્યાત્મિક જ્ઞાન આપીને ઈશ્વરીય સેવા કરતા હતા. તેમનું અવસાન તગતા આજ રોજ તારીખ 8/2/ 2025 ના શનિવારના રોજ તેમનું બેસણું રાખવામાં આવેલું હતું જેમાં બ્રહ્માકુમારી હેડ ક્વાર્ટર આબુથી પોલીસ રાજ યોગી બીકે લલીતભાઈ ગુજરાત મણીનગર અમદાવાદ બીકે નેહા દીદી જામનગર બીકે પૂર્ણિમાબેન તથા ગુજરાતના અનેક સેવા કેન્દ્રમાંથી બ્રહ્માકુમારી કેન્દ્રોમાંથી ભાઈઓ અને બહેનો હાજર રહી શ્રદ્ધાંજલિ આપેલ છે ઉપરાંત બ્રહ્માકુમારી હેડ ક્વાર્ટરમાં જયંતિ દીદીએ ટેલીફોનિક શોક સંદેશ આપ્યો હતો. પૂર્વ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા પણ તેમને શોકજલી અર્પણ કરી હતી.




Latest News