મોરબી બ્રહ્મકુમારી સંસ્થાના વરિષ્ઠ રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકાદીદીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
માળીયા (મી)માં સરકારી ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાની ચોરી !: બે શખ્સ પકડાયા
SHARE
માળીયા (મી)માં સરકારી ગોડાઉનમાંથી ઘઉં અને ચોખાની ચોરી !: બે શખ્સ પકડાયા
માળીયા (મી) તાલુકામાં સરકારી અનાજનું ગોડાઉન આવેલ છે જેમાંથી ઘઉં અને ચોખાની ચોરી કરવામાં આવી હતી અને બજારમાં વેચવાની તૈયારીમાં હતા તેવામાં મૂળ મધ્યપ્રદેશ અને હાલમાં મોરબી અને રાજકોટ ખાતે રહેતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી માળીયા (મી) પોલીસે ઇકો ગાડી તેમજ ચોરાઉ ઘઉં ચોખા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી કરવાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ માળીયા (મી)ના પીઆઇ આર.સી. ગોહિલ અને તેની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીને આધારે સરકારી અનાજના ગોડાઉમાંથી ઘઉં અને ચોખાની ચોરી કરીને બજારમાં વેચવાની તૈયારીમાં હતા તેવામાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના યમુનાનગરમાં રહેતા શિવરાજસિંગ કાલીચરન રાજપૂત અને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા રાહુલ પૂજારામ રાજપૂતને પકડવામાં આવ્યા હતા અને 11 ગુણી ચોખા, 4 ગુણી ઘઉં, બે મોબાઈલ, તેમજ એક ઇકો ગાડી સહિત કુલ મળીને 4,42,750 નો મુદામાલ કબજે કરેલ છે. આ ગુનામાં સંડોવાયેલ શનાળા પાસે રહેતા રમેશભાઈ નામના શખ્સનું નામ સામે આવ્યું છે અને આ આરોપીઓ સરકારી ગોડાઉનમાં રાખવામા આવેલ અનાજમાંથી ચોરી કરીને ખુલ્લા બજારમાં વેચી નાખતા હોવાનું સામે આવ્યું છે ત્યારે જો પુરવઠા વિભાગ દ્વારા આ અંગેની ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.