મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી મચ્છુ-૨ તેમજ મચ્છુ-૩ યોજનાના કમાંડ વિસ્તારમાં વધારો કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ


SHARE













મોરબી મચ્છુ-૨ તેમજ મચ્છુ-૩ યોજનાના કમાંડ વિસ્તારમાં વધારો કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

મોરબી જીલ્લાનો માળિયા(મિં.) તાલુકો સિંચાઈની સુવિધાથી  વંચિત છે. હાલમાં મોરબી જીલ્લામાં બે સિંચાઈ યોજના મચ્છુ-૨ તેમજ મચ્છુ-૩ આવેલ છે.તેમાં મચ્છુ-૨ માં પહેલા કમાંડ વિસ્તારમાં ઘણો વિસ્તાર બિન ખેતી થયેલ છે.તેમજ હવે કેનાલને લીફ્ટ ઈરીગેશનમાં કન્વર્ટ કરેલ છે. ત્યારે મચ્છુ-૨ યોજનાની કેનાલને મોટી કરીને કમાન્ડ વિસ્તાર માં વધારો થઇ શેક તેમ છે.તો તે કરવામાં આવે તેવી માંગણી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કે.ડી.બાવરવાએ કરેલ છે.

રાજયના મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં જણાવાયેલ છેકે, કમાન્ડમાં વધારો શક્ય છે.કારણ કે મચ્છુ-૨ યોજનાના જુના કમાન્ડમાં ઘણો વિસ્તાર બિનખેતી થયેલ છે.કેનાલને ગ્રેવિટીને બદલે લીફ્ટ સિંચાઈમાં ફેરવવામાં આવેલ છે. મચ્છુ-૨ માં નર્મદા કેનાલનું પાણી પણ આવે છે.તો  ઉપરનાં કારણો જોતા કમાન્ડમાં વધારો શક્ય છે.આ ઉપરાંત પાક વાવેતરમાં ફેરફાર આવેલ છે.પહેલા મગફળી અને બાજરી, કાઠોળનું વાવેતર કરવામાં આવતું હતું. અને રવિ સીઝનમાં ખેતરો ખાલી રહેતા હોવાથી ઘઉં, રાયડો જેવા પાકનું વાવેતર કરવમાં આવતું હતું. હવે કપાસનું વાવેતર વધારે થાય છે. તેથી  ખેતરો ખાલી ન રહેતા હોય વાવેતર ઓછું થાય છે.તેમજ રવિ પાકમાં ઝીરું ના પાકનું વાવેતર થતું હોય પાણીની જરૂરત ઓછી હોય છે.અને ચાલુ કેનાલની સ્થિતિ જોતા કમાન્ડ વસ્તારની બહાર લુટાવદર , પીપળીયા, ચાંચાવદરડા, તરધરી અને મોટા દહીસરના ઘણા ખેતરોમાં ચાલુ સાલે રવિ પાકનું વાવેતર થયેલ છે.જે લોકો મચ્છુ-૨ કેનાલના વધારના પાણીનો ઉપયોગ કરેલ છે.તેઓને પાણી મળેલ પણ છે.એટલે પાણીની ઘટ પડે એ તો પાકું છે.સરકારને સિંચાઈ વિસ્તારના બહારના ખેતરોમાં થયેલ પાકની સિંચાઈ શુક્લની આવક થતી નથી.જો કમાન્ડ વધારવામાં આવે તો સરકારને પણ આવક થાય. સામે પક્ષે ખેડૂતોને પણ પોતાના ખેતર કમાન્ડ વિસ્તારમાં આવવાથી  ફાયદો થાય છે.તેમને  પાકા ધિરાણમાં પિયત વિસ્તાર તરીકે ધિરાણ વધારે મેળવી શકશે.ખેતરના નાના ટુકડા પણ ખાતે ચડી જશે.પોતાનો પાક સિંચાઈની સુવિધાને ધ્યાને રાખીને વાવેતર કરી શકશે.ગામડાઓમાંથી ખેડૂતોનું પલાયન અટકશે.

તેમજ જે વંચિત છે.તેને સિંચાઈ નો લાભ મળશે. નમર્દા કમાન્ડમાં જે બચત છે.તેમાં એમનો સમાવેશ કરવાથી સરકારને પણ કમાન્ડ વિસ્તાર વધારે બતાવી શકાશે.તો ઉપરોક્ત બાબતો ધ્યને લઇ વહેલાસર કેનાલ મોટી કરી કમાન્ડ વિસ્તારમાં  વધારો કરવામાં આવે નહીતર  મોરબીમાંથી  પસાર થતી કેનાલને કવર  કરી દેવા આવશે તો પછી તેમાં કોઇ સુધારો કરી શકાશે નહિ.તેથી કેનાલ ઉપર સ્લેબનું કામ કરતા પહેલા કમાન્ડ વિસ્તાર વધારવાના કામને અગ્રતા આપીને  કમાન્ડ વધારવા માંગણી છે.જો આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તે અમારે ના છૂટકે ખેડૂતો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાયક્રમો  કરવાની ફરજ પડશે તેવી ચીમકી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કે.ડી.બાવરવાએ ચીમકી ઉચ્ચારી છે.




Latest News