મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મચ્છુ-૨ તેમજ મચ્છુ-૩ યોજનાના કમાંડ વિસ્તારમાં વધારો કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ


SHARE









મોરબી મચ્છુ-૨ તેમજ મચ્છુ-૩ યોજનાના કમાંડ વિસ્તારમાં વધારો કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ

મોરબી જીલ્લાનો માળિયા(મિં.) તાલુકો સિંચાઈની સુવિધાથી  વંચિત છે. હાલમાં મોરબી જીલ્લામાં બે સિંચાઈ યોજના મચ્છુ-૨ તેમજ મચ્છુ-૩ આવેલ છે.તેમાં મચ્છુ-૨ માં પહેલા કમાંડ વિસ્તારમાં ઘણો વિસ્તાર બિન ખેતી થયેલ છે.તેમજ હવે કેનાલને લીફ્ટ ઈરીગેશનમાં કન્વર્ટ કરેલ છે. ત્યારે મચ્છુ-૨ યોજનાની કેનાલને મોટી કરીને કમાન્ડ વિસ્તાર માં વધારો થઇ શેક તેમ છે.તો તે કરવામાં આવે તેવી માંગણી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કે.ડી.બાવરવાએ કરેલ છે.

રાજયના મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં જણાવાયેલ છેકે, કમાન્ડમાં વધારો શક્ય છે.કારણ કે મચ્છુ-૨ યોજનાના જુના કમાન્ડમાં ઘણો વિસ્તાર બિનખેતી થયેલ છે.કેનાલને ગ્રેવિટીને બદલે લીફ્ટ સિંચાઈમાં ફેરવવામાં આવેલ છે. મચ્છુ-૨ માં નર્મદા કેનાલનું પાણી પણ આવે છે.તો  ઉપરનાં કારણો જોતા કમાન્ડમાં વધારો શક્ય છે.આ ઉપરાંત પાક વાવેતરમાં ફેરફાર આવેલ છે.પહેલા મગફળી અને બાજરી, કાઠોળનું વાવેતર કરવામાં આવતું હતું. અને રવિ સીઝનમાં ખેતરો ખાલી રહેતા હોવાથી ઘઉં, રાયડો જેવા પાકનું વાવેતર કરવમાં આવતું હતું. હવે કપાસનું વાવેતર વધારે થાય છે. તેથી  ખેતરો ખાલી ન રહેતા હોય વાવેતર ઓછું થાય છે.તેમજ રવિ પાકમાં ઝીરું ના પાકનું વાવેતર થતું હોય પાણીની જરૂરત ઓછી હોય છે.અને ચાલુ કેનાલની સ્થિતિ જોતા કમાન્ડ વસ્તારની બહાર લુટાવદર , પીપળીયા, ચાંચાવદરડા, તરધરી અને મોટા દહીસરના ઘણા ખેતરોમાં ચાલુ સાલે રવિ પાકનું વાવેતર થયેલ છે.જે લોકો મચ્છુ-૨ કેનાલના વધારના પાણીનો ઉપયોગ કરેલ છે.તેઓને પાણી મળેલ પણ છે.એટલે પાણીની ઘટ પડે એ તો પાકું છે.સરકારને સિંચાઈ વિસ્તારના બહારના ખેતરોમાં થયેલ પાકની સિંચાઈ શુક્લની આવક થતી નથી.જો કમાન્ડ વધારવામાં આવે તો સરકારને પણ આવક થાય. સામે પક્ષે ખેડૂતોને પણ પોતાના ખેતર કમાન્ડ વિસ્તારમાં આવવાથી  ફાયદો થાય છે.તેમને  પાકા ધિરાણમાં પિયત વિસ્તાર તરીકે ધિરાણ વધારે મેળવી શકશે.ખેતરના નાના ટુકડા પણ ખાતે ચડી જશે.પોતાનો પાક સિંચાઈની સુવિધાને ધ્યાને રાખીને વાવેતર કરી શકશે.ગામડાઓમાંથી ખેડૂતોનું પલાયન અટકશે.

તેમજ જે વંચિત છે.તેને સિંચાઈ નો લાભ મળશે. નમર્દા કમાન્ડમાં જે બચત છે.તેમાં એમનો સમાવેશ કરવાથી સરકારને પણ કમાન્ડ વિસ્તાર વધારે બતાવી શકાશે.તો ઉપરોક્ત બાબતો ધ્યને લઇ વહેલાસર કેનાલ મોટી કરી કમાન્ડ વિસ્તારમાં  વધારો કરવામાં આવે નહીતર  મોરબીમાંથી  પસાર થતી કેનાલને કવર  કરી દેવા આવશે તો પછી તેમાં કોઇ સુધારો કરી શકાશે નહિ.તેથી કેનાલ ઉપર સ્લેબનું કામ કરતા પહેલા કમાન્ડ વિસ્તાર વધારવાના કામને અગ્રતા આપીને  કમાન્ડ વધારવા માંગણી છે.જો આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તે અમારે ના છૂટકે ખેડૂતો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાયક્રમો  કરવાની ફરજ પડશે તેવી ચીમકી રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કે.ડી.બાવરવાએ ચીમકી ઉચ્ચારી છે.






Latest News