મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળિયા (મી)ના મહેન્દ્રગઢ ગામે એસટીની સુવિધા આપવા કિશોરભાઇ ચિખલિયાની માંગ


SHARE













માળિયા (મી)ના મહેન્દ્રગઢ ગામે એસટીની સુવિધા આપવા કિશોરભાઇ ચિખલિયાની માંગ

માળિયા (મી)ના મહેન્દ્રગઢ ગામને એસટી બસની સુવિધા નથી મળી રહી જેથી કરીને આ સુવિધા આપવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મહેન્દ્રગઢ ગામે એસટી બસની સુવિધા મળી રહી નથી જેથી કરીને મહેન્દ્રગઢ ગામના વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ અને ગામના લોકોને હેરાન થવું પડે છે અને લોકો સમયસર પોતાની મંજિલ સુધી પહોચી શકતા નથી જેથી મોરબીથી સરવડ જતી બસને વાયા મહેન્દ્રગઢ થઈને સરવડનો જે બસનો ફેરો સવારે ઘણા સમયથી બંધ કરવામાં આવેલ છે તે ચાલુ કરવામાં આવે અથવા સવારે 8:00 વાગ્યે પીપળીયા ચાર રસ્તા તરફનો અન્ય રૂટ સરવડથી મહેન્દ્રગઢ તરફ ચલાવવામાં આવે તેમજ મોરબીથી માળિયા 3:45 વાગ્યે જે બસ ઉપડે છે તે ખૂબ જ અનિયમિત ચાલે છે જેથી સરવડ અભ્યાસ માટે જતાં મહેન્દ્રગઢના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે આ બસને પણ સમયસર ચલાવવામાં આવે અને રાજકોટથી માળિયા બસ રૂટ વારંવાર કેન્સલ કરાય છે જેથી મુસાફરોને હેરાન થવું પડે છે અને સાંજે જે બસ આવે છે તે ખૂબ મોડી ઉપડે છે માટે જુદાજુદા રૂટની બસોને નિયમિત રીતે ચલાવવામાં આવે અને જે ગામમાં બસ નથી આવી રહી ત્યાં બસની સુવિધા આપવામાં આવે તેવી કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખે માંગ કરી છે.




Latest News