મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE









મોરબી જીલ્લામાં સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લામાં જુદાજુદા વિસ્તારમાં આએલ સરકારી જમીનોમાં થયેલ ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન કરવામાં આવતું નથી જેથી કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરીને સરકારી જમીનોને દબાણ મુક્ત કરવાની ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી દ્વારા માંગ કરવામાં આવેલ છે.

ગુજરાત પ્રદેશ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છેકે, મોરબીને કોર્પોરેશન જાહેર કર્યાં પછી નવા કમીશનર દ્વારા જુદા જુદા રોડ પર થયેલા દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે સારી બાબત છે અને ખુબ જ સરાહનીય કામ કરી રહ્યા છે. જો કે, અમુક બાંધકામોને બાકાત રાખવામાં આવે છે. જેથી લોકોમાં કમિશનરના હાથ ત્યાં સુધી કેમ પહોચતા નથી તે ચર્ચાઇ રહ્યું છે.


વધુમાં કહ્યું હતું કે, મોરબીમાં ઘણી જગ્યાએ સરકરી જમીનો પર પણ ગેરકાયદે બાંધકામો થયેલ છે. જેવા કે સિંચાઈ ખાતાની જમીન ઉપર, માર્ગ અને મકાન (PWD) સ્ટેટ અને પંચાયત ખાતાની જમીન ઉપર, નેશનલ હાઇવેની જમીન ઉપર, રેવેન્યુ ખાતાની  જમીન ઉપર જો કે તેની સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ? શું આ દબાણો સબંધિત વિભાગના અધિકારીઓને દબાણ દેખાતું નથી તેવો સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાતમાં ઘણી જગ્યોઓએ લેન્ડ ગ્રેબિંગના કેસો થતા હોય છે. પરંતુ આવા લોકો સામે લેન્ડ ગ્રેબિંગના કેસો શા માટે નથી થતા ? તે પણ તપાસનો વિષય છે. અને સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ બાંધકામને વહેલામાં વેહલી તકે તોડી પાડવામાં આવે તેવી માંગ કરી છે.  

મોરબીમાં સરકારી જમીન પર બાંધકામ  થઇ જાય અને તેનું વેચાણ પણ થઇ જય તો પણ અધિકારીઓ અજાણ કેવી રીતે  હોય શકે ?, અમુક જગ્યાઓએ આવા બાંધકામનું વેચાણ ન થતા ભાડે આપવામાં આવેલ છે. તેવું લોકો કહી રહ્યા છે. તો આ બાબતે મોરબીના સ્થાનિક લગત દરેક અધિકારીઓને આદેશ કરીને સરકારી જમીનો ઉપર કરવામાં આવેલ ગેરકાયદે બાંધકામો તાત્કાલિક ડીમોલીશન કરીને સરકારી જમીનોને દબાણ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું નહી થાય તો સ્થાનિક લોકોને સાથે રાખીને ના છુટકે અંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News