મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ અમદાવાદ તથા અંજારની ચોરીના ફરાર આરોપીને પકડ્યો


SHARE















મોરબી એલસીબીએ અમદાવાદ તથા અંજારની ચોરીના ફરાર આરોપીને પકડ્યો

મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે બાઇક સાથે મળી આવેલ ઇસમને અટકાવીને તેની ઉલટ તપાસ કરતા અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી અંજારમાંથી ચોરેલ બાઈક સાથે મોરબી ખાતેથી મળી આવ્યો હતો.હાલ તેને પકડવામાં આવ્યો હતો અને અંજાર તથા અમદાવાદ પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.

મોરબી એલસીબી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નારોલ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા ઘરફોડ ચોરી થઈ હતી અને તેનો આરોપી મોરબી નજીક હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવીને મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ બાપાસીતારામ ચોકડી પાસેથી નીકળેલ ઈસમને અટકાવ્યો હતો અને બાઇક સાથે નીકળેલા આ ઇસમને અટકાવી તેનું નામ પૂછવામાં આવતા તેણે પોતાનું નામ પુરણસિંગ લલ્લુરામ નિશાદ રહે.આલ તા.જી.જાલોન થાના કોન્થોદ ઉત્તરપ્રદેશ હોવાનું તેણે જણાવ્યું હતું અને તેની પુછપરછમાં તેને જણાવ્યું હતું કે પોતે પોતાના નાના ભાઈ ગોપાલ નિસાદની સાથે મળીને અમદાવાદના નારોલ વિસ્તારમાં ચોરી કરી હતી.જેમાં ચાંદીની મૂર્તિ, લેપટોપ, રોકડ વિગરેની ચોરી કરી હતી અને જે તે સમયે તેનો ભાઈ પકડાઈ ગયો હતો અને પોતે નાસી છૂટ્યો હોય ફરાર હતો દોઢ વર્ષ પહેલાના આ ચોરીના ગુનામાં તેને પકડીને અમદાવાદ પોલીસની જાણ કરવામાં આવી હતી. અને તેની પાસેથી એક બાઈક મળેલ હોય જેની પોકેટ કોપ એપ્લિકેશન વડે તપાસ કરવામાં આવતા તેણે આ બાઈક અંજારના ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરી કરેલ હોય બાઇક ચોરી સંદર્ભે અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલ આગળની તપાસ માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરાયો હતો.

રાજકોટ સિવિલ ખસેડાયો

મોરબીના સામાકાંઠે સોઓરડી રામદેવપીર મંદિર નજીક રહેતો વિજયભાઈ લાલજીભાઈ સોલંકી નામનો ૩૮ વર્ષનો યુવાન ગત તા.૪-૨ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં મોરબી સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન સાથે અથડાયો હતો અને તેને મોરબીની સિવિલ બાદ રાજકોટ ગોકુલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો અને ત્યાં સારવાર બાદ હાલ તેને રાજકોટ સિવિલ ખાતે ખસેડાયો હોય આ અંગે પોલીસે માહિતી આપેલ છે તેમજ આ બાબતે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અકસ્માત 

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેની પ્રભુકૃપા રેસીડેન્સીમાં રહેતો યુગ મહેશભાઈ જાકાસણીયા નામનો ૨૦ વર્ષનો યુવાન તા.૧૭ ના બાઇક લઈને જતો હતો ત્યારે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ સાથે અન્ય બાઇક સાથે અથડાતા ઈજા પામતા ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબી નજીકના આમરણ ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં વિજય રઘાભાઈ સિંધવ (૨૨) રહે.મોટી મોલડી તા.ચોટીલા વાળાને ઈજા થતા મોરબીની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી






Latest News