મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદમાં કોઈ કામ ધંધો ચાલતો ન હોય યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







હળવદમાં કોઈ કામ ધંધો ચાલતો ન હોય યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

હળવદમાં આવેલ જીઆઇડીસીમાં કારખાનાના રૂમમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનનો કોઈ કામ ધંધો ચાલતો ન હતો જેથી તેને મનોમન લાગી આવતા તેણે મોર્ડન સ્કૂલ નજીક આવેલ વાડીના શેઢા પાસે લીમડાના ઝાડ સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલ જીઆઇડીસીમાં સાઈબાબા કારખાનાના રૂમમાં રહેતા અને મજૂરી કામ કરતા સવનુભાઈ દાભાઈ મારવી (48) નામના યુવાને મોડેલ સ્કૂલ પાસે વગડીયા સીમમાં ચિનુભાઈ પટેલની વાડીના શેઢે લીમડાના ઝાડ સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની અશોકકુમાર મરકામ (45) રહે. હાલ સાઇબાબા કારખાનાની રૂમમાં મૂળ રહે મધ્યપ્રદેશ વાળાએ જાણ કરતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનનો કોઈ કામ ધંધો ચાલતો ન હતો જેથી તેને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે તેવી પ્રાથમિક વિગત સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News