મોરબી નજીક ટ્રેનની હડફેટે ચડી જતાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત
વાંકાનેરમાં પતિ શંકા વહેમ રાખીને ઝઘડો કરતાં હોય પરિણીતાએ આયખુ ટુકાવ્યુ
SHARE







વાંકાનેરમાં પતિ શંકા વહેમ રાખીને ઝઘડો કરતાં હોય પરિણીતાએ આયખુ ટુંકાવ્યુ
વાંકાનેરની મિલ સોસાયટીમાં આવેલ ચાર માળિયા બિલ્ડિંગમાં રહેતી પરણીતાના પતિ નાની નાની વાતમાં શંકા વહેમ કરતા હતા અને ઝઘડો કરતાં હતા જેથી પરિણીતાને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરની મિલ સોસાયટીમાં આવેલ ચાર માળિયા બિલ્ડિંગમાં રહેતા હીનાબેન રફિકભાઈ બાબરીયા (23) નામની પરણીતાએ પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાના પતિ રફીકભાઈ ઈબ્રાહીમભાઇ બાબરીયા નાની નાની વાતમાં શંકા વહેમ કરતા હતા અને બંને વચ્ચે ઝઘડો થતો હતો જે બાબતે તેઓને લાગી આવતા પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
