મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરનો પ્રશ્ન ન ઉકેલાય તો ઉગ્ર આંદોલન: આપ


SHARE













મોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરનો પ્રશ્ન ન ઉકેલાય તો ઉગ્ર આંદોલન: આપ

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરકારી મહેન્દ્રસિંહ આયુર્વેદીક દવાખાના દરવાજા પાસે ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ છે અને છેલ્લા એકાદ વર્ષથી ગટર ઉભરાય છે છતાં ત્યાંના સ્થાનીક નેતા અને જવાબદાર અધિકારીઓ તે સફાઈ કરવામાં નીષ્ફળ કેમ ?, દર્દીને ના છૂટકે ગટરમાં થઈને દવાખાને જવું પડે છે. આ હોસ્પિટલમાં જીલ્લા ક્ષય કેન્દ્ર આવેલ છે ત્યાં લોકોને ક્ષયની સારવાર માટે જવું પડે છે અને તેઓને પણ ફરજીયાત ઉભરાતી ગટરના પાણીમાંથી જ પસાર થવું પડે છે. જેથી આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે કે તંત્ર દ્વારા લોકોને ગંદકી માટે દંડ આપવામાં આવે છે જો કે, અહી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આ ગંભીર બેદરકારી માટે વહીવટદાર સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં પંકજભાઈ આદ્રોજાએ જણાવ્યુ હતું કે, તંત્ર જો હવે સફાઈ નહીં કરવે અને હોસ્પિટલમાં જવાના રસ્તામાં ગટરોના પાણી હશે તો ઉગ્ર આંદોલન કરીને હોસ્પિટલને તાળાં બંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News