મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરનો પ્રશ્ન ન ઉકેલાય તો ઉગ્ર આંદોલન: આપ


SHARE













મોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરનો પ્રશ્ન ન ઉકેલાય તો ઉગ્ર આંદોલન: આપ

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલ સરકારી મહેન્દ્રસિંહ આયુર્વેદીક દવાખાના દરવાજા પાસે ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ છે અને છેલ્લા એકાદ વર્ષથી ગટર ઉભરાય છે છતાં ત્યાંના સ્થાનીક નેતા અને જવાબદાર અધિકારીઓ તે સફાઈ કરવામાં નીષ્ફળ કેમ ?, દર્દીને ના છૂટકે ગટરમાં થઈને દવાખાને જવું પડે છે. આ હોસ્પિટલમાં જીલ્લા ક્ષય કેન્દ્ર આવેલ છે ત્યાં લોકોને ક્ષયની સારવાર માટે જવું પડે છે અને તેઓને પણ ફરજીયાત ઉભરાતી ગટરના પાણીમાંથી જ પસાર થવું પડે છે. જેથી આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે કે તંત્ર દ્વારા લોકોને ગંદકી માટે દંડ આપવામાં આવે છે જો કે, અહી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આ ગંભીર બેદરકારી માટે વહીવટદાર સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં પંકજભાઈ આદ્રોજાએ જણાવ્યુ હતું કે, તંત્ર જો હવે સફાઈ નહીં કરવે અને હોસ્પિટલમાં જવાના રસ્તામાં ગટરોના પાણી હશે તો ઉગ્ર આંદોલન કરીને હોસ્પિટલને તાળાં બંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News