મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ભાજપ પ્રમુખે કર્યો પર્દાફાશ: હળવદના ઇંગોરાળા ગામ પાસે જાહેરમાંથી સરકારી દવાનો જથ્થો તથા દવાના ખાલી બોક્સ-બોટલો મળ્યા


SHARE







સામાન્ય રીતે મેડિકલ વેસ્ટના ઢગલા આડેધડ કરવામાં આવતા હોય તેવું તો અનેક વખત જોવા મળતું હોય છે પરંતુ હળવદ તાલુકાના ઇંગોરાળા અને મયાપુર ગામ વચ્ચે સરકારી દવાનો જથ્થો તથા વપરાઈ ગયેલ દવાના ખાલી બોક્સ અને બોટલો મળી આવેલ છે જેથી કરીને આ અંગેની તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા સંબંધિત વિભાગના અધિકારીને રજૂઆત કરીને જવાબદાર બેદરકાર અધિકારી અને કર્મચારી સામે આકરા પગલાં લેવા માટે થઈને માંગ કરવામાં આવી છે

સરકાર દ્વારા જરૂરિયાત મંદ અને શ્રમિક પરિવારના દર્દીઓને દવાઓ મળી રહે તે માટે તેને કરોડો રૂપિયાનો ખર્ચો કરીને છેવાડાના ગામ સુધી દવાના જથ્થાને પહોંચાડવામાં આવતો હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે સરકારની કામગીરી ઉપર પાણી ફરી વડે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઇંગોરાળા અને મયાપુર ગામ વચ્ચે જોવા મળેલ છે મયાપુર ગામ નજીક થી પસાર થતી નર્મદાની કેનાલ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા રાત્રી દરમિયાન રોડના કાંઠા ઉપર સરકારમાંથી આપવામાં આવતી દવાઓનો જથ્થો જેમાં કેટલીક દવાઓ એક્સપાયરી ડેટ ન હતી તેમ છતાં પણ ત્યાં ફેંકી દેવામાં આવી હતી તેમજ કેટલીક દવાઓના ખાલી બોક્સ, ખાલી બોટલો વગેરે ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને હળવદ તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ કંજારિયા દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓને આ અંગેની જાણ કરીને બેદરકાર અધિકારી તથા કર્મચારી સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

વધુમાં આરોગ્ય વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે સ્થળ ઉપરથી જે દવાની ખાલી બોટલો તથા બોક્સ મળી આવ્યા છે તેમજ જે દવાઓ ત્યાં પડી હતી તે પૈકીની કેટલીક દવાઓ જો ભૂલથી પણ કોઈ વ્યક્તિ પી જાય તો તે ઝેર બની જાય તેવી શક્યતાઓ હતી તેમ છતાં પણ બેદરકારી પૂર્વક તેને રોડ કાંઠે જાહેરમાં ફેંકી દેવામાં આવી હતી આ ગંભીર પ્રકારની બેદરકારી ગણી શકાય તેમ છે જોકે આ ઘટના જ્યારે ધ્યાન ઉપર આવી ત્યારબાદ થી લઈને બપોર સુધીમાં ત્યાં ફેકવામાં આવેલ દવા જથ્થામાંથી મોટાભાગનો દવાનો જથ્થો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તકનો લાભ લઈને સગે વગે કરી નાખવામાં આવ્યો છે પરંતુ ખરેખર દવા કોણ ફેંકી ગયું હતું અને ત્યાંથી દવાનો જથ્થો કોણે સગેવગે કર્યો તે પણ હવે તપાસનો વિષય બની ગયો છે.






Latest News