ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડી પાસેથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી


SHARE













ટંકારાની લતીપર ચોકડી પાસેથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી

ટંકારાની લતીપર ચોકડી પાસે ભરાતી શનિવારી બજારમાં યુવાન ગયો હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના મોબાઈલ ફોનની ચોરી કરી લેવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા યુવાનના ભાઈએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સાવડી ગામે જયનગરની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા કલ્પેશભાઈ શંકરભાઈ કટારા (22) નામના યુવાને મોબાઇલ ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લતીપર ચોકડી પાસે ભરતી શનિવારી બજારમાં તેનો નાનો ભાઈ જયેશ ગયો હતો ત્યારે તેનો રેડમી કંપનીનો 8500 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માત થતાં વૃદ્ધને ઇજા

મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશનગર પાસે કેસરી હાઈટ સતનામ નગર ખાતે રહેતા આદ્રોજા લાભુબેન શામજીભાઈ (65) નામના વૃદ્ધાના પગ ઉપરથી અન્ય વાહન ફરી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીમાં સોઓરડી પાછળ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા દેવશીભાઈ અમરાભાઇ પરમાર (53) નામના આધેડને માળિયા વનાળીયા સોસાયટીના રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News