મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો

સમગ્ર શિક્ષા દ્વારા કુમાર શાળાઓમાં એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ની જોગવાઈ મુજબ ધો.૬ થી ૮ ના બાળકોનો મનોશારીરિક વિકાસ કરવાનું નિહિત છે. ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ 'ઉજાસ ભણી' કાર્યક્રમ મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં યોજાઈ ગયો.જેમાં મોરબીના સાહિત્યકાર, ઇતિહાસકાર, અને મોટીવેશનલ સ્પીકર નર્મદાનંદન કવિ જલરૂપ દ્વારા બાળકોને  ઉજાસ ભણી કાર્યક્રમમાં "તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ" વિષય પર સુંદર વક્તવ્ય આપી સર્વાંગી વિકાસ માટે કઈ- કઈ બાબતોનું ધ્યાન વિદ્યાર્થીઓએ રાખવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.તેઓએ પ્રેરણાદાયી વાર્તાઓથી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ નર્મદાનંદન કવિ જલરૂપ દ્વારા દેશી રાજા રજવાડાંઓના ફોટાઓનું પ્રદર્શન શાળામાં ગોઠવવામાં આવ્યું હતું.જેથી શાળાના આચાર્ય મનન બુદ્ધદેવએ નર્મદાનંદન કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.




Latest News