મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો

સમગ્ર શિક્ષા દ્વારા કુમાર શાળાઓમાં એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ની જોગવાઈ મુજબ ધો.૬ થી ૮ ના બાળકોનો મનોશારીરિક વિકાસ કરવાનું નિહિત છે. ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ 'ઉજાસ ભણી' કાર્યક્રમ મોરબીની પ્રાયોગિક પ્રાથમિક શાળામાં યોજાઈ ગયો.જેમાં મોરબીના સાહિત્યકાર, ઇતિહાસકાર, અને મોટીવેશનલ સ્પીકર નર્મદાનંદન કવિ જલરૂપ દ્વારા બાળકોને  ઉજાસ ભણી કાર્યક્રમમાં "તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ" વિષય પર સુંદર વક્તવ્ય આપી સર્વાંગી વિકાસ માટે કઈ- કઈ બાબતોનું ધ્યાન વિદ્યાર્થીઓએ રાખવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.તેઓએ પ્રેરણાદાયી વાર્તાઓથી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ નર્મદાનંદન કવિ જલરૂપ દ્વારા દેશી રાજા રજવાડાંઓના ફોટાઓનું પ્રદર્શન શાળામાં ગોઠવવામાં આવ્યું હતું.જેથી શાળાના આચાર્ય મનન બુદ્ધદેવએ નર્મદાનંદન કવિ જલરૂપ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.






Latest News