મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

માળિયા (મી)માં પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નો ન ઉકેલાતા સામાજિક કાર્યકર દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ


SHARE







માળિયા (મી)માં પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નો ન ઉકેલાતા સામાજિક કાર્યકર દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ

માળિયા (મી) શહેરના પડતર પ્રશ્નોને ઉકેવામાં આવી રહ્યા નથી જેથી કરીને સામાજિક કાર્યકર દ્વારા પહેલા રેલી યોજવામાં આવી હતી અને ત્યાર બાદ મામલતદાર કચેરી પાસે આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવેલ છે.

માળીયા (મી)માં રહેતા સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી તા 24/2 થી માળીયા મામલતદાર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ત્યારે તેની સાથે સમાજના ઘણા લોકો રેલીમાં જોડાયા હતા અને ઉપવાસી છાવણીમાં પણ બેઠા હતા જો કે, કોઈ અધિકારી છાવણીની મુલાકાતે આવેલ ન હતા જેથી તેઓને કહ્યું હતું કે એક બાજુ લોકો માળીયામાં હેરાન છે અને બીજું બાજુ કોઈ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યા નથી વધુમાં ત્યાં આવેલા આગેવાનોએ કહ્યું હતું કે, માળિયા શહેરમાં ભૂકંપ સમયે મોટા પ્રમાણમા નુકશાન થયું હતું અને તે વાતને 24 વર્ષ થઈ ગયા છે તો પણ આજની તારીખે માળીયામાં બસ સ્ટેશન બન્યું નથી. માળિયા ખાતે મોટું જંક્શન હોવા છતાં ટ્રેનો ઉભી રાખવામા આવતી નથી તે સહિતના અનેક પ્રશ્નો છે તેનું નિરાકરણ નહીં આવે તો આંદોલન ચાલુ જ રાખવામા આવશે.

ખાસ કરીને માળિયામાં આજની તારીખે પાયાની સુવિધાઓ મળતી નથી અને બસ સ્ટેશન નથી, ધો. 10 બોર્ડનું પરીક્ષા કેન્દ્ર નથી, રેફરલ હોસ્પિટલના સ્ટાફના ક્વાર્ટર જર્જરીત છે, મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું, રેલવે જંક્શને તમામ ટ્રેનોને સ્ટોપ આપવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, અગાઉ વર્ષ 2022માં પણ જુલ્ફીકાર સંધવાણીએ શહેરમાં સુવિધાઓ માટે ઉપવાસ આંદોલન કર્યું હતું ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું. પરંતુ એક પણ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેથી હાલમાં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.






Latest News