મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી તાલુકાનાં પીપળીયા ચાર રસ્તાથી નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પાણી અપૂરતું, અનિયમિત અને અપૂરતા ફોર્સથી પાણી આવે છે જેથી કરીને લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે લોકોને નિયમિત અને પૂરા ફોર્સથી પાણી આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  ગુજરાતના પ્રદેશ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  ગુજરાતના પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા (મી)ના મોટાભેલા ગામના જાગૃત આગેવાન મુળુભાઈ ગોહેલફરિયાદ કરીને કહ્યું હતું કે, પીપળીયા ચાર રસ્તા સંપ હેઠળ આવતા નાનાભેલા સંપ ગ્રુપના ગામોમાં પીવાનું પાણી ઉનાળો નથી આવ્યો ત્યા અપૂરતું, અનિયમિત અને અપૂરતા ફોર્સથી પાણી આવે છે તો આગામી ઉનાળામાં શું થશે ? તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.

સરકારી તંત્ર, સરકારી કોન્ટ્રાકટર ક્યારે ગામમાં પાણી આવે છે કે નહીં તે પૂછવા માટે પણ આવતા નથી. અને લોકોને ભગવાન ભરોસો હોય તેવી સ્થિતિ છે બીજી બાજુ મચ્છુ-૨ કેનાલનું પાણી ખુબ જ મોટી માત્રામાં હોકળાઓમાં વહી રહ્યું છે. અને પાણીનો બગાડ થઇ રહ્યો છે. પરંતુ લોકોને પીવા માટે પાણી મળતું નથી. જેથી કરીને સબંધિત વિભાગને જરૂરી આદેશ કરીને લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું કરવામાં નહિ આવે તો ના છુટકે જુદાજુદા ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક  કાર્યક્રમો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News