મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના શનાળાથી ઘુનડા તરફ જવાના રોડે દબાણોને તોડી પડતું તંત્ર


SHARE













મોરબીના શનાળાથી ઘુનડા તરફ જવાના રોડે દબાણોને તોડી પડતું તંત્ર

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે કરવામાં આવેલા બાંધકામો ઉપર હાલમાં સરકારી બુલડોઝર જોરશોર ચાલી રહ્યું છે તેવામાં મોરબીના શનાળાથી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડની સાઇડમાં કરવામાં આવેલા દબાણ હટાવ માટેનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું હતું અને સરકારી બુલડોઝર ફેરવીને તે દબાનોને તોડી નાખવામાં આવેલ છે. આ અંગે વધુમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના નાયબ કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીના શનાળા ગામથી રવાપર અને ઘુનડા જવાનો જે ત્રણ કિલો મીટરનો રોડ આવેલ છે તે રોડની બંને બાજુએ જુદીજુદી જગ્યાએ દબાણો કરવામાં આવેલ હતા જેને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને દુકાનોના ઓટલા, એપાર્ટમેન્ટની કમ્પાઉન્ડ વોલ સહિત કુલ મળીને 15 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. અને 45 જેટલા બેનરોને પણ હટાવવામાં આવ્યા હતા.




Latest News