મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગૃહમંત્રીને રજૂઆત


SHARE













મોરબી એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગૃહમંત્રીને રજૂઆત

મોરબી સીટીમાં વસ્તી દિવસેને દિવસે વધી રહી છે જો કે, તેની સામે પોલીસ સ્ટાફમાં કોઈપણ વધારો કરવામાં આવી રહ્યો નથી જેથી પોલીસ કામના ભારણ હેઠળ કામ કરેલ છે જેથી વહેલી તકે મોરબી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવામાં આવે તે માટે મોરબી સીટી/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી સીટી/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિક શહેર છે અને દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે અને ખાસ કરીને અન્ય રાજયોમાંથી મજુરો પોતાની રોજીરોટી માટે મોટા પ્રમાણમા મોરબી આવી રહ્યા છે જેથી કરીને સીટીની વસ્તી વધતી જાય છે. જો કે, પોલીસ પાસેથી જાણવામાં આવ્યા પ્રમાણે મોરબી સીટી એ અને બી ડીવીઝનમાં સ્ટાફની ઘટ છે જેને કારણે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મુશ્કેલી ઉભી થાય તે સ્વાભાવિક છે. અને મોરબીના રવાપર તેમજ શનાળા સહિતના વિસ્તારોમાં વસ્તી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કોઈપણ જાતની અવ્યસ્થા ન ઉભી થાય તે માટે પોલીસ સ્ટાફમાં વધારો કરવાની તાતી જરૂરીયાત છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, પોલીસ અવાર નવાર સભા, સરઘસ સામાજિક કાર્યક્રમો વીગેરેમાં રોકાય છે જેથી કરીને કાયદો અને વ્યવસ્થા સામે અનેક પડકારો ઉભા થાય છે. અને કામના બોજાને કારણે જો પોલીસ સ્ટાફનો મેડીકલ ચેક અપ કરાવવામાં આવે તો ઘણા બધા બી.પી. કે ડાયાબીટીસના દર્દી પણ નીકળે તેમ છે. જેથી કરીને પોલીસ સ્ટાફની સુખાકારી માટે વહેલી તકે સ્ટાફની ભરતી કરવામાં આવે તે જરૂરી છે.




Latest News