મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ


SHARE













વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટર પાસેથી ચોરી કરેલા ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બાઇક ચોરીના બે અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરીને પોલીસે મુદામાલને પણ કબજે કરેલ છે

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એ.જાડેજા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફના માણસો ચોરીના ગુના ડીટેકટ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા અને જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે ખાતે અસરકાર વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન મોરબી તરફથી એક બાઇક આવી રહ્યુ હતુ તે બાઇકને રોકીને પોલીસે આવતા બાઇક લઇને જતા શખ્સ પાસે બાઇકના કાગળો માંગ્યા હતા ત્યારે તે ગલ્લા-તલ્લા કરતા બાઇક ચાલકની સધન પુછપરછ કરતા વાંકાનેર જયોતિ સેનેટરીમાથી બાઇકની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી તેમજ અન્ય એક બાઇક વાંકાનેર સોમાણી સેનેટરીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ૧.૩૫ લાખની કિંમતના બે ચોરાઉ બાઇકનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાકેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ કામડીયા (૨૧) હાલ રહે. મોરબી લીલાપર ચોકડી પાસે ઝુપડામા મોરબી મુળ રહે. અંજાર સરકારી દવાખાના પાછળ હનુમાન ટેકરી જીલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ.જાડેજાની સુચના મુજબ ધર્મેન્દ્રકુમાર અંબારામભાઇ, યશપાલસિંહ ભવાનસિંહ, વનરાજસિંહ અભેસિંહ, બળદેવસિંહ મહાવીરસિંહ, વિરેન્દ્રસિંહ હરભમજી, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ, રાણીંગભાઇ નાજભાઇ, ભરતભાઇ વાલજીભાઇ તથા હિતેન્દ્રસિંહ મનુભા દ્વારા કરવામાં આવી હતી.






Latest News