મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ


SHARE







વાંકાનેરમાંથી બે ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની કરી ધરપકડ

વાંકાનેર નજીક કારખાનાના કવાર્ટર પાસેથી ચોરી કરેલા ચોરાઉ બાઇક સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરેલ છે અને બાઇક ચોરીના બે અનડીટેક્ટ ગુન્હા ડીટેક્ટ કરીને પોલીસે મુદામાલને પણ કબજે કરેલ છે

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ.એ.જાડેજા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફના માણસો ચોરીના ગુના ડીટેકટ કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા અને જીનપરા જકાતનાકા નેશનલ હાઇવે ખાતે અસરકાર વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન મોરબી તરફથી એક બાઇક આવી રહ્યુ હતુ તે બાઇકને રોકીને પોલીસે આવતા બાઇક લઇને જતા શખ્સ પાસે બાઇકના કાગળો માંગ્યા હતા ત્યારે તે ગલ્લા-તલ્લા કરતા બાઇક ચાલકની સધન પુછપરછ કરતા વાંકાનેર જયોતિ સેનેટરીમાથી બાઇકની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી તેમજ અન્ય એક બાઇક વાંકાનેર સોમાણી સેનેટરીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ૧.૩૫ લાખની કિંમતના બે ચોરાઉ બાઇકનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાકેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ કામડીયા (૨૧) હાલ રહે. મોરબી લીલાપર ચોકડી પાસે ઝુપડામા મોરબી મુળ રહે. અંજાર સરકારી દવાખાના પાછળ હનુમાન ટેકરી જીલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ.જાડેજાની સુચના મુજબ ધર્મેન્દ્રકુમાર અંબારામભાઇ, યશપાલસિંહ ભવાનસિંહ, વનરાજસિંહ અભેસિંહ, બળદેવસિંહ મહાવીરસિંહ, વિરેન્દ્રસિંહ હરભમજી, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ, રાણીંગભાઇ નાજભાઇ, ભરતભાઇ વાલજીભાઇ તથા હિતેન્દ્રસિંહ મનુભા દ્વારા કરવામાં આવી હતી.






Latest News