મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી


SHARE











મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી

મોરબી તાલુકાના રામપર (પાડાબેકર) ગામે રામજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરો ભગવાન શ્રીરામ અને સીતા માતાની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલા ચાંદીના કુંડળ કેજે અંદાજે એકાદ કિલોના અને તેની કિંમત રૂપિયા ૪૫ હજાર થતી હોય તે ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના રામપર (પાડાબેકર) ગામે રામજી મંદિરમાં ચોરી થયેલ છે.ચોરી સંદર્ભે નહેરગિરી જખુગીરી ગોસ્વામી જાતે બાવાજી (૬૮) રહે.રામપર પાડાબેકર તા.મોરબી એ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત તા.૧૬-૧૧ ના સવારના પાંચેક વાગ્યાના સમય દરમિયાનમાં ઉપરોકત ચોરી થઈ હતી અને રામજી મંદિરમાં શ્રીરામ ભગવાન તથા સિતામાતાના કાનમાં પહેરાવેલ ચાંદીના કુંડળની બે જોડી કેજે ચાંદીનાં છે તેનું એકાદ કિલો વજન હોય અને તેની રૂપિયા ૪૫ હજારની કિંમત હોય તે ચાંદીના કુંડળોની કોઈ ઇશમ ચોરી કરી ગયેલ છે અને તપાસ કરવા છતાં ઇશમ મળી આવેલ ન હોવાથી બનાવના ત્રણ દિવસ બાદ ગઈકાલ તા.૨૯-૧૧ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.જી.જેઠવાએ મંદિર ચોરી (સિમ ચોરી) ની ફરિયાદ લઈને મંદિર ચોરીમાં અગાઉ સંડોવાયેલા ઇશમોને ચેક કરવા તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના ઘનશ્યામપુર ગામે જગદીશભાઇ લાલજીભાઈ રાઠોડ નામના ૭૭ વર્ષીય આધેડે વાડીએ જતા હતા દરમિયાનમાં તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા જગદીશભાઈને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.તેમજ ટંકારા તાલુકાના લજાઇ ગામે થયેલ મારામારીના બનાવમાં મોહસીન રસુલભાઇ મોવર નામના ૨૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 






Latest News