માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી


SHARE

















મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી

મોરબી તાલુકાના રામપર (પાડાબેકર) ગામે રામજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરો ભગવાન શ્રીરામ અને સીતા માતાની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલા ચાંદીના કુંડળ કેજે અંદાજે એકાદ કિલોના અને તેની કિંમત રૂપિયા ૪૫ હજાર થતી હોય તે ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના રામપર (પાડાબેકર) ગામે રામજી મંદિરમાં ચોરી થયેલ છે.ચોરી સંદર્ભે નહેરગિરી જખુગીરી ગોસ્વામી જાતે બાવાજી (૬૮) રહે.રામપર પાડાબેકર તા.મોરબી એ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત તા.૧૬-૧૧ ના સવારના પાંચેક વાગ્યાના સમય દરમિયાનમાં ઉપરોકત ચોરી થઈ હતી અને રામજી મંદિરમાં શ્રીરામ ભગવાન તથા સિતામાતાના કાનમાં પહેરાવેલ ચાંદીના કુંડળની બે જોડી કેજે ચાંદીનાં છે તેનું એકાદ કિલો વજન હોય અને તેની રૂપિયા ૪૫ હજારની કિંમત હોય તે ચાંદીના કુંડળોની કોઈ ઇશમ ચોરી કરી ગયેલ છે અને તપાસ કરવા છતાં ઇશમ મળી આવેલ ન હોવાથી બનાવના ત્રણ દિવસ બાદ ગઈકાલ તા.૨૯-૧૧ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.જી.જેઠવાએ મંદિર ચોરી (સિમ ચોરી) ની ફરિયાદ લઈને મંદિર ચોરીમાં અગાઉ સંડોવાયેલા ઇશમોને ચેક કરવા તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના ઘનશ્યામપુર ગામે જગદીશભાઇ લાલજીભાઈ રાઠોડ નામના ૭૭ વર્ષીય આધેડે વાડીએ જતા હતા દરમિયાનમાં તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા જગદીશભાઈને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.તેમજ ટંકારા તાલુકાના લજાઇ ગામે થયેલ મારામારીના બનાવમાં મોહસીન રસુલભાઇ મોવર નામના ૨૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 




Latest News