તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી


SHARE











મોરબીના રામપર ગામે રામજી મંદિરમાંથી ભગવાનના ૪૫ હજારની કિંમતના ચાંદીના આભૂષણોની ચોરી

મોરબી તાલુકાના રામપર (પાડાબેકર) ગામે રામજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં તસ્કરો ભગવાન શ્રીરામ અને સીતા માતાની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલા ચાંદીના કુંડળ કેજે અંદાજે એકાદ કિલોના અને તેની કિંમત રૂપિયા ૪૫ હજાર થતી હોય તે ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના રામપર (પાડાબેકર) ગામે રામજી મંદિરમાં ચોરી થયેલ છે.ચોરી સંદર્ભે નહેરગિરી જખુગીરી ગોસ્વામી જાતે બાવાજી (૬૮) રહે.રામપર પાડાબેકર તા.મોરબી એ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ગત તા.૧૬-૧૧ ના સવારના પાંચેક વાગ્યાના સમય દરમિયાનમાં ઉપરોકત ચોરી થઈ હતી અને રામજી મંદિરમાં શ્રીરામ ભગવાન તથા સિતામાતાના કાનમાં પહેરાવેલ ચાંદીના કુંડળની બે જોડી કેજે ચાંદીનાં છે તેનું એકાદ કિલો વજન હોય અને તેની રૂપિયા ૪૫ હજારની કિંમત હોય તે ચાંદીના કુંડળોની કોઈ ઇશમ ચોરી કરી ગયેલ છે અને તપાસ કરવા છતાં ઇશમ મળી આવેલ ન હોવાથી બનાવના ત્રણ દિવસ બાદ ગઈકાલ તા.૨૯-૧૧ ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેથી હાલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.જી.જેઠવાએ મંદિર ચોરી (સિમ ચોરી) ની ફરિયાદ લઈને મંદિર ચોરીમાં અગાઉ સંડોવાયેલા ઇશમોને ચેક કરવા તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના ઘનશ્યામપુર ગામે જગદીશભાઇ લાલજીભાઈ રાઠોડ નામના ૭૭ વર્ષીય આધેડે વાડીએ જતા હતા દરમિયાનમાં તેમનું બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા જગદીશભાઈને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.તેમજ ટંકારા તાલુકાના લજાઇ ગામે થયેલ મારામારીના બનાવમાં મોહસીન રસુલભાઇ મોવર નામના ૨૨ વર્ષીય યુવાનને ઇજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 






Latest News