મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે થયેલ મારામારીમાં છ સામે ફરીયાદ, બે ની ધરપકડ


SHARE











મોરબીના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે થયેલ મારામારીમાં છ સામે ફરીયાદ, બે ની ધરપકડ

મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના મળીને કુલ છ લોકોને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે અને તે પૈકીના બે ભાઇઓને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.મોરબી તાલુકા પોલીસ મથકે છ સામે ફરીયાદ નોંધાવાતા બે ની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા (૨૯), જયેશ વેલજીભાઇ સેખવા અને સુનીલ બાબુભાઇ પરમાર (૩૦) તેમજ સામેના પક્ષના કાંતાબેન ચુનીલાલ વઘેરા (૪૦), રાકેશ ચુનીલાલ વઘેરા (૨૨), ચુનીલાલ કમાભાઇ વઘેરા (૪૫) અને સુરેશ ચુનીલાલ વઘેરા (૨૦) નામના કુલ છ લોકોને ઈજાઓ થઈ હતી જેથી કરીને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જયેશ શેખવા, ગુલાબ શેખવા અને સુનીલ પરમારને રાજકોટ લઇ જવાયા હતા.બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસના અંતે ખૂલ્યું હતું કે, ગુલાબભાઈ શેખવાની પાન-માવાની દુકાન છે અને ત્યાં વઘેરા પરિવારનો સુરેશ અથવા રાકેશ પાન માવો ખાવા ત્યાં ગયા હતા અને તે દરમિયાન પાનમાવાના આગલા બાકી પૈસા બાબતે ગુલાબભાઈએ કહેતા તે વાતને લઈને "અમે ક્યાં ગામ મુકીને ભાગી જવાના છીએ." તેમ કહીને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઉગ્ર ઝઘડો થવાથી હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તલવાર, પાઇપ અને ધોકા જેવા હથીયારો વડે મારામારી થઈ હોય અને માથાના ભાગે તલવાર લાગી જવાથી ગુલાબભાઈ શેખવાને હાલ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા. 

બનાવ અંગે વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ ત્યાં જ રહેતા ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા(૫૫), હસમુખભાઈ મોહનભાઈ વઘોરા (૨૪) રહે.બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી.જેમાં વેલજીભાઈ શેખવા જણાવ્યું હતું કે, જયેશભાઇએ બાકી નીકળતા માવાના પૈસાની માંગણી કરતાં સામેવાળાઓએ ઉશ્કેરાઈ જઈને તલવાર, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો અને ગુલાબભાઈના માથાના ભાગે તલવારનો ઘા ઝીંકી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે જયેશ અને સુનીલને પણ તલવાર વડે અને ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો.જેથી હાલ તાલુકા પીઆઇ ગોઢાણિયાએ ગણતરીના કલાકોમાં મોહન રવજી વઘોરા (૫૫) અને હસમુખ મોહન વઘોરા (૨૪) રહે.બંને પ્રેમજીનગર તા.જી.મોરબીની ઉપરોક્ત રાયોટિંગના ગુનામાં ધરપકડ કરેલ છે.






Latest News