મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડીએ કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં વૃદ્ધે ઝેરી દવા પીને જીવન ટુકાવ્યું


SHARE











ટંકારાના નસીતપર ગામે વાડીએ કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં વૃદ્ધે ઝેરી દવા પીને કર્યો આપઘાત

ટંકારાના નસીતપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા વૃદ્ધને તેના પત્ની સાથે વાડીએ કામ બાબતે બોલાચાલી થતા વૃદ્ધને લાગી આવ્યું હતું જેથી તેણે વાડીએ રહેલ જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી માટે વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નસીપર ગામની સીમમાં દિનેશભાઈ રાઘવજીભાઈ કુંડારીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મંગલસિંહ ભૂરલાભાઈ મંડલોઈ (60)એ વાડીએ હતા ત્યારે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મંગલસિંહ મંડલોઈ તમાકુની ડબ્બી લેવા માટે મોરબી ગયેલ હતા અને ત્યાંથી તે પાછા વાડીએ આવતા મોડું થયું હતું જેથી તેમના પત્નીએ કહ્યું હતું કે “વાડીએ કામ હોય અને તમે ખોટા રખડો છો” જે બાબતે મરણજનારને તેની પત્ની સાથે બોલાચાલી થતા વૃદ્ધને લાગી આવ્યું હતું જેથી તેને વાડીએ ઝેરી દવા પી લીધી હતી અને તેના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા નંદુબેન હણ (50) નામની મહિલા ગામના મેઇન રોડ ઉપર શીતળા માતાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને જેમાં તેમને ઇજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે








Latest News