ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે વાડીએ કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં વૃદ્ધે ઝેરી દવા પીને જીવન ટુકાવ્યું


SHARE













ટંકારાના નસીતપર ગામે વાડીએ કામ બાબતે પત્ની સાથે બોલાચાલી થતાં વૃદ્ધે ઝેરી દવા પીને કર્યો આપઘાત

ટંકારાના નસીતપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા વૃદ્ધને તેના પત્ની સાથે વાડીએ કામ બાબતે બોલાચાલી થતા વૃદ્ધને લાગી આવ્યું હતું જેથી તેણે વાડીએ રહેલ જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી માટે વૃદ્ધનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નસીપર ગામની સીમમાં દિનેશભાઈ રાઘવજીભાઈ કુંડારીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મંગલસિંહ ભૂરલાભાઈ મંડલોઈ (60)એ વાડીએ હતા ત્યારે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મંગલસિંહ મંડલોઈ તમાકુની ડબ્બી લેવા માટે મોરબી ગયેલ હતા અને ત્યાંથી તે પાછા વાડીએ આવતા મોડું થયું હતું જેથી તેમના પત્નીએ કહ્યું હતું કે “વાડીએ કામ હોય અને તમે ખોટા રખડો છો” જે બાબતે મરણજનારને તેની પત્ની સાથે બોલાચાલી થતા વૃદ્ધને લાગી આવ્યું હતું જેથી તેને વાડીએ ઝેરી દવા પી લીધી હતી અને તેના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું બનાવની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા નંદુબેન હણ (50) નામની મહિલા ગામના મેઇન રોડ ઉપર શીતળા માતાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને જેમાં તેમને ઇજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News