મોરબીમાં ઘરમાંથી ૧૨૦ બોટલ દારૂ સાથે બે શખ્સની ધરપકડ: ૧.૨૪ લાખનો મુદામાલ કબજે
માળિયા (મી)માં લોકોને સારી સુવિધા માટે છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ કરતાં ઉપવાસીની તબિયત લથડતા સારવારમાં
SHARE






માળિયા (મી)માં લોકોને સારી સુવિધા માટે છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ કરતાં ઉપવાસીની તબિયત લથડતા સારવારમાં
માળિયા મિયાણામાં સુવિધા માટે છેલ્લા ઘણા દિવસોથી ઝુલ્ફીકાર સાધવાણી ઉપવાસ કરી રહ્યા હતા તેની ગઇકાલે મોડી સાંજે તબિયત ખરાબ થઈ હતી જેથી તેને બેભાન અવસ્થામાં મોરબી સિવિલમાં લઈને આવ્યા હતા અને તંત્ર તરફથી તેની કોઈ નોંધ લેવામાં નથી જેથી કરીને માળીયાના લોકોમાં રોષની લાગણી છે અને લોકશાહીમાં લોકોને સુવિધા માટે પરેશાન થવું પડે છે યોગ્ય નથી તેવી મોરબીમાં રહેતા કાન્તિલાલ બાવરવાએ જણાવ્યુ છે.
મોરબી જીલ્લાનાં માળીયા (મીં) શહેરનાં મુખ્ય પાયાનાં પ્રશ્નો માટે ઊપવાસ આંદોલન કરી રહેલ આંદોલનકારી યુવાન ઝુલ્ફીકાર સાધવાણીની તબિયત લથળતા તેમને મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ICU વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયા, મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતનાં આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેમની માંગણીને લઈને હવે મોરબી જીલ્લા કલેક્ટર સાથે કોંગ્રેસનાં આગેવાનો ચર્ચા કરશે તેવું કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યુ છે.


