મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર મોરબીના ઝૂલતા પુલ કેસમાં આરોપીઓએ કરેલ ડિસ્ચાર્જ અરજીમાં 15 એપ્રિલની મુદત: જયસુખભાઇ પટેલને મોરબીમાં પ્રવેશવાની કોર્ટે આપી મંજૂરી
Breaking news
Morbi Today

હળવદમાં ઝૂંપડપટ્ટીનું ડીમોલેશન રોકવા મામલતદારને રજૂઆત


SHARE











હળવદમાં ઝૂંપડપટ્ટીનું ડીમોલેશન રોકવા મામલતદારને રજૂઆત

હળવદમાં આવેલ સામતસર તળાવના પાસે 100 જેટલા દેવીપૂજક સમાજના લોકો ઝૂંપડામાં વસવાટ કરી રહ્યા છે. તેના ઝૂંપડાં ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી કરીને સમસ્ત દેવીપૂજક સમાજ સામતસર તળાવના કાંઠા નામના સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર આપીને આ કાર્યવાહી રોકવામાં આવે તેવી રજુઆત કરી છે. વધુમાં આ રજૂઆતમાં જણાવ્યુ છે કે, તેઓ ઘણા વર્ષોથી ત્યાં ઝુંપડાઓ બાંધીને રહે છે અને છૂટક ફેરી તેમજ મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેવામાં ગાતા તા. 3 ના રોજ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઝુંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. જેમાં તેમના રોજી-રોટીના સાધન સામગ્રી તેમજ માલ સમાન સહિત બાઇકને નુકસાન થયેલ છે અને ગરીબોને આર્થિક તેમજ માનસિક નુકસાન પહોંચાડેલ છે. જેથી તેઓની રજૂઆતને ધ્યાને લઈને બુલડોઝરની કાર્યવાહી તાત્કાલીક રોકવા માંગ કરી છે.








Latest News