ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

હળવદમાં ઝૂંપડપટ્ટીનું ડીમોલેશન રોકવા મામલતદારને રજૂઆત


SHARE













હળવદમાં ઝૂંપડપટ્ટીનું ડીમોલેશન રોકવા મામલતદારને રજૂઆત

હળવદમાં આવેલ સામતસર તળાવના પાસે 100 જેટલા દેવીપૂજક સમાજના લોકો ઝૂંપડામાં વસવાટ કરી રહ્યા છે. તેના ઝૂંપડાં ઉપર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી કરીને સમસ્ત દેવીપૂજક સમાજ સામતસર તળાવના કાંઠા નામના સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર આપીને આ કાર્યવાહી રોકવામાં આવે તેવી રજુઆત કરી છે. વધુમાં આ રજૂઆતમાં જણાવ્યુ છે કે, તેઓ ઘણા વર્ષોથી ત્યાં ઝુંપડાઓ બાંધીને રહે છે અને છૂટક ફેરી તેમજ મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેવામાં ગાતા તા. 3 ના રોજ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઝુંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. જેમાં તેમના રોજી-રોટીના સાધન સામગ્રી તેમજ માલ સમાન સહિત બાઇકને નુકસાન થયેલ છે અને ગરીબોને આર્થિક તેમજ માનસિક નુકસાન પહોંચાડેલ છે. જેથી તેઓની રજૂઆતને ધ્યાને લઈને બુલડોઝરની કાર્યવાહી તાત્કાલીક રોકવા માંગ કરી છે.






Latest News