મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી
Breaking news
Morbi Today

માળિયા (મિ.)માં સુવિધા માટે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનનો તંત્રની ખાતરીથી અંત આવ્યો


SHARE













માળિયા (મિ.)માં સુવિધા માટે ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલનનો તંત્રની ખાતરીથી અંત આવ્યો

માળિયા (મી)ના જુદાજુદા પ્રશ્નોને લઈને લોકોની સુખાકારી માટે સામાજિક કાર્યકર જુલ્ફીકારભાઈ સંધવાણી તા. ૨૪ ફેબ્રુઆરીથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા હતા અને તેની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ મંગળવારે તંત્ર દ્વારા તમામ પ્રશ્નોને લઈને લેખિતમાં ખાતરી આપતા જુલ્ફીકારભાઈ સંધવાણીએ પારણા કર્યા છે અને આંદોલનનો સુખદ અંત આવ્યો છે. અને જે માંગણીઓ કરવામાં આવેલ છે તેમાં માળિયામાં બસ સ્ટેશન બનાવવું, ધો. 10 બોર્ડનું પરીક્ષા કેન્દ્ર ફરી શરૂ કરવું, રેફરલ હોસ્પિટલમાં સ્ટાફ ક્વાર્ટર બનાવવા અને ખાલી જગ્યાઓ ભરવી, મામલતદાર કચેરીનું નવ નિર્માણ કરવું અને રેલવે સ્ટેશન પર ટ્રેનોને સ્ટોપેજ આપવાનો સમાવેશ થાય છે.  






Latest News