મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર કોળી સમાજ દ્વારા વીછિયા ખાતે યોજાનાર કોળી મહાસમેલનનો વિરોધ, મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લુ સમર્થન


SHARE







વાંકાનેર કોળી સમાજ દ્વારા વીછિયા ખાતે યોજાનાર કોળી મહાસમેલનનો વિરોધ, મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લુ સમર્થન

રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાનાં થોરીયાળી ગામના ધનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ હતી ત્યારબાદ મુકેશ રાજપરાના ઉશ્કેરણીજનક સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ થવાથી કોળી સમાજના લોકો વિંછીયા પોલિશ સ્ટેશને ભેગા થતાં પોલીસ સાથે ધર્ષણ સર્જાયુ હતું. જેમાં ખુબ મોટું ટોળું હોવા છતાં ૮૪ વ્યક્તિઓ પર ગુન્હો નોંધાયેલ છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને જાણ થતાં તેઓ ત્યાં વિંછીયા પહોચી ગયા હતા અને બાકીના મહિલા સહિતનાને સીસીટીવી કેમેરામાં તોફાનો કરતા વિડિયો હોવા છતાં ધરપકડ કરવા દીધેલ નહીં. ૭૦ જેટલા લોકો જેલમાં હતા બાકીનાઓની ધરપકડ બાકી હતી તેને સમાધાન કરી રસ્તો અપનાવી જે જેલમાં હતા તે પૈકીના ૬૩ ને એકસાથે જામીન અપાવી છોડાવેલ છે અને વાહનો પણ ડિટેઇન કરેલ તે મુક્ત કરાવેલ છે.

આ અંગે કોળી આગેવાનોએ જણાવ્યુ કે, ધારાસભ્ય દ્વારા મૃતકના ઘરે જઈ આશ્વાસન સાથે સમાજમાંથી મદદ મળે તે માટે વાત થતાં તેની પણ મદદમાં રહેવા જણાવેલ હતું જોકે, કેટલાક લોકોના પેટમાં તેલ રેડાતા આગામી તા. ૯ માર્ચના રોજ મહાસંમેલનની જાહેરાત કરી દીધી હતી. જેમાં મૃતક પરિવારને મદદ કરવાને બદલે કોળી સમાજને થતો અન્યાયની વાત લઇ બજારમાં બીજાના હાથા બની સ્થાનિક ધારાસભ્યએ મદદ નથી કરી તેવી વાતો ઉપજાવી કાઢી બજારમાં રેવડી વેંચવા, સમાજને ગુમરાહ કરવા નીકળી પડ્યા હતા.

વધુમાં કેટલાક લોકો સમાજને બદનામ કરવા વાળા રેવડી બજારમાં બીજાના હાથા બની કોળી/ ઠાકોરના સંગઠનના નામે કોળી/ ઠાકોર સમાજના મહાસંમેલનના નામે પોતાના રાજકીય ઢેબરાં પકાવવા નીકળી પડ્યા છે તેવું વાંકાનેરના આગેવનોએ જણાવ્યુ છે અને તા. ૨ ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મીટિંગ બોલાવેલ જેમાં પણ સમાજના નામે અન્યાય થયો છે, ક્યાંક રજુઆત વાત કર્યા વિના જ કેસ પાછા ખેંચો, કોળી ઠાકોર સમાજને ન્યાયનું રટણ ચાલુ રાખી મૃતક ધનસ્યામ રાજપરાની વાત ભુલી ગયા હતા. 

સમાજને અન્યાયના નામે વિંછીયા ખાતે મહાસંમેલન બોલાવવું, સ્થાનિક કોળી સમાજના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મદદ નથી કરતા તેવી વાતો કરી સમાજને ભરમાવવા, છેતરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે કોળી સમાજના કોઇ આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના જ મહાસંમેલનની જાહેરાત કરી છે. જેથી કરીને વાંકાનેરમાં તાલુકા પંચાયત પાસે આવેલ હૉલ ખાતે વાંકાનેર કોળી  સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી જેમાં વિછિયામાં જે મહાસંમેલન મળવાનું છે તેનાથી કોળી/ ઠાકોર સમાજના આગેવાનો તેમજ હિતેચ્છુઓને અળગા રહેવા માટેનું આહ્વાન કર્યું હતું અને વાંકાનેર સમસ્ત કોળી સમાજ દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે.






Latest News