મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના માળીયા હાઈવે ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર આધેડનું મોત


SHARE











મોરબીના માળીયા હાઈવે ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર આધેડનું મોત

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ વિસ્તારમાં રહેતાં આધેડ કામ સબબ માળીયા તરફ ગયા હતા અને માળીયાથી કામ પતાવીને તેઓ પરત મોરબી આવી રહ્યા હતા ત્યારે ગત મોડી રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં માળીયા હાઇવે ઉપર આવેલા અર્જુનનગર ગામ પાસે અજાણ્યા ટ્રક ચાલકે તેમના બાઇકને હડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.બનાવ અંગે માળીયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

માળીયા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયા હાઇવે ઉપર આવેલા અર્જુનનગર ગામ પાસે ગત મોડી રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ટ્રક ચાલકે બાઇક ચાલક મૂળજીભાઈ પાંચાભાઇ મકવાણા જાતે કોળી (ઉમર ૫૩) રહે.વેજીટેબલ રોડ મોરબી-૨ ને હડફેટે લેતા ઘટના સ્થળે જ મૂળજીભાઈ મકવાણાનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવાર

મોરબી-કંડલા બાયપાસ હાઇવે ઉપર આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતો કલ્પેશ ધનજીભાઈ રૈયાણી નામનો ૩૩ વર્ષીય યુવાન કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હતો.માળીયા મીંયાણાના વેણાસર ગામ વીંછી કરડી જતા દક્ષાબેન લલીતભાઈ રાઠોડ નામની ૨૬ વર્ષીય મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી. જયારે હળવદના સુરવદર ગામે રહેતા અસ્મિતાબેન બાબુભાઇ હળવદીયા નામની ૫૦ વર્ષીય મહિલા બાઈકમાં બેસીને જતા હતા તે સમયે બાઇકમાંથી નિચે પડી જતા ઇજાઓ થવાથી તેણીને પણ સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૪ માં ઘર નજીક મારામારીના બનાવમાં કુલસુમબેન ઈદ્રીશભાઈ વડાવરીયા નામની ૩૦ વર્ષીય મહિલાને ઇજાઓ થતાં તેમને પણ સારવારમાં ખસેડાયા હતા.






Latest News