માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા ભાજપે વાંકાનેર કિશાન મોર્ચો તેમજ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચાના હોદેદારો નિમ્યા


SHARE

















મોરબી જીલ્લા ભાજપે વાંકાનેર કિશાન મોર્ચો તેમજ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચાના હોદેદારો નિમ્યા

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા મોરબી જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારી પ્રકાશભાઈ સોની અને ભાનુભાઈ મહેતા તેમજ જીલ્લા ભાજપના આગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચા તેમજ વાંકાનેર તાલુકા કિસાન મોર્ચાના હોદેદારોની વરણી કરેલ છે.

વાંકાનેર તાલુકા કિસાન મોર્ચાના પ્રમુખ તરીકે કેરવાડીયા શામજીભાઈની, મહામંત્રી તરીકે ઝાલા ધ્રુવરાજસિંહની, ઉપપ્રમુખ તરીકે ધોરીયા વિરમભાઈ અને માંડાણી શામજીભાઈની, મંત્રી તરીકે ઓળકીયા ગગજીભાઈ, ધરજીયા હિરાભાઈ, પરમાર સોમાભાઈ અને ખોરજીયા અયુબભાઈની, કોષાધ્યક્ષ તરીકે ગોધાણી વાલજીભાઈની અને કાર્યાલય મંત્રી તરીકે માલકીયા ધરમશીભાઈની વરણીઓ કરવામાં આવેલ છે.જયારે વાંકાનેર તાલુકા બક્ષીપંચ મોર્ચાના પ્રમુખ તરીકે મેર ભગવાનજીભાઈની, મહામંત્રી તરીકે સરવૈયા મશરૂભાઈની, ઉપપ્રમુખ તરીકે ભોરણીયા મયુરભાઈ અને રાજગોર મોહનભાઈની, મંત્રી તરીકે નિમાવત ભાવેશભાઈ, ચૌહાણ જનકબા, સારદીયા મુકેશભાઈ અને ઝાપડા ખેતાભાઈની અને કોષાધ્યક્ષ તરીકે સંધી ગુલાબભાઈની નિમણુંક કરવામાં આવેલ છે.નવનિયુકત હોદેદારો ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.




Latest News