મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો મોરબી: બાગાયતના વિવિધ ઘટકમાં સહાય મેળવવા ૩૧ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લુ મુકાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દહીસરા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ મુખ્ય બે આરોપીના શરતી જામીન મંજૂર


SHARE















માળીયા (મી)ના દહીસરા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ મુખ્ય બે આરોપીના શરતી જામીન મંજૂર

માળીયા (મી) તાલુકાના દહીસરા ગામના ખુન કેસમાં મુખ્ય બંને આરોપી અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયાનાના જામીન માટેની અરજી કરવામાં આવેલ હતી જેમાં બંનેના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, ફરીયાદીના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતુ હતું જેનુ મનદુખ રાખી આરોપીઓ સુરેશભાઈનાએ ફરીયાદીના પતિને લોખંડના પાઈપ વતી માથાના ભાગે ઈજા કરી હતી અને આરોપી અરૂણભાઈએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકાથી ફરીયાદીના પતિના વાસાના ભાગે મારી ઈજા કરી હતી આરોપી અશોકભાઈએ લાકડીથી ફરીયાદીના પતિને શરીરના ભાગે ધા મારી ઈજાઓ કરી હતી તેમજ ફરીયાદીના પિતા ત્યાં આવી જતાં ફરીયાદીના પતિને માર મારવાથી બચાવવા જતાં આરોપી વિજયભાઈએ તેના હાથમાં રહેલ લાકડીથી ફરીયાદીના પિતાને કપાળના ભાગે મારીને ઈજાઓ કરી હતી અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને લાકડી તથા લોખંડના પાઈપથી જીવલેણ ઘા મારીને ઈજા કરી ખુન કરેલ હતું જેની માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ હતી. અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જેમા આરોપીઓ અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે એડવોકેટ મારફત દલીલ કરવામાં આવેલ કે મરણજનારને આરોપીઓએ કોઈ માર મારેલ હોય તેમ નથી અને આરોપીનો કોઈ ગુાનહીત ઈતીહાસ નથી કે ગુન્હો કરવા ટેવાયેલ નથી તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કર્યા હતા ત્યાર બાદ બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને સુપ્રીમ કોર્ટનું સંજયચાંદ્રા વી. સી.બી.આઈ નુ જજમેન્ટ ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ છે આ કેસમાં હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોથરીયા, મોરબીના દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.






Latest News