જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દહીસરા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ મુખ્ય બે આરોપીના શરતી જામીન મંજૂર


SHARE













માળીયા (મી)ના દહીસરા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ મુખ્ય બે આરોપીના શરતી જામીન મંજૂર

માળીયા (મી) તાલુકાના દહીસરા ગામના ખુન કેસમાં મુખ્ય બંને આરોપી અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયાનાના જામીન માટેની અરજી કરવામાં આવેલ હતી જેમાં બંનેના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, ફરીયાદીના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતુ હતું જેનુ મનદુખ રાખી આરોપીઓ સુરેશભાઈનાએ ફરીયાદીના પતિને લોખંડના પાઈપ વતી માથાના ભાગે ઈજા કરી હતી અને આરોપી અરૂણભાઈએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકાથી ફરીયાદીના પતિના વાસાના ભાગે મારી ઈજા કરી હતી આરોપી અશોકભાઈએ લાકડીથી ફરીયાદીના પતિને શરીરના ભાગે ધા મારી ઈજાઓ કરી હતી તેમજ ફરીયાદીના પિતા ત્યાં આવી જતાં ફરીયાદીના પતિને માર મારવાથી બચાવવા જતાં આરોપી વિજયભાઈએ તેના હાથમાં રહેલ લાકડીથી ફરીયાદીના પિતાને કપાળના ભાગે મારીને ઈજાઓ કરી હતી અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને લાકડી તથા લોખંડના પાઈપથી જીવલેણ ઘા મારીને ઈજા કરી ખુન કરેલ હતું જેની માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ હતી. અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જેમા આરોપીઓ અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે એડવોકેટ મારફત દલીલ કરવામાં આવેલ કે મરણજનારને આરોપીઓએ કોઈ માર મારેલ હોય તેમ નથી અને આરોપીનો કોઈ ગુાનહીત ઈતીહાસ નથી કે ગુન્હો કરવા ટેવાયેલ નથી તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કર્યા હતા ત્યાર બાદ બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને સુપ્રીમ કોર્ટનું સંજયચાંદ્રા વી. સી.બી.આઈ નુ જજમેન્ટ ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ છે આ કેસમાં હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોથરીયા, મોરબીના દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.






Latest News