ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો દંપતી ખંડિત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે કાર ચાલકે ફ્રૂટની લારીને ઉડાવતા પતિનું મોત, પત્ની સારવારમાં મોરબીના યુવાને ઓનલાઈન 100 કુર્તિ મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી ! વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દહીસરા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ મુખ્ય બે આરોપીના શરતી જામીન મંજૂર


SHARE















માળીયા (મી)ના દહીસરા ગામે થયેલ હત્યાના ગુનામાં પકડાયેલ મુખ્ય બે આરોપીના શરતી જામીન મંજૂર

માળીયા (મી) તાલુકાના દહીસરા ગામના ખુન કેસમાં મુખ્ય બંને આરોપી અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયાનાના જામીન માટેની અરજી કરવામાં આવેલ હતી જેમાં બંનેના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, ફરીયાદીના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતુ હતું જેનુ મનદુખ રાખી આરોપીઓ સુરેશભાઈનાએ ફરીયાદીના પતિને લોખંડના પાઈપ વતી માથાના ભાગે ઈજા કરી હતી અને આરોપી અરૂણભાઈએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકાથી ફરીયાદીના પતિના વાસાના ભાગે મારી ઈજા કરી હતી આરોપી અશોકભાઈએ લાકડીથી ફરીયાદીના પતિને શરીરના ભાગે ધા મારી ઈજાઓ કરી હતી તેમજ ફરીયાદીના પિતા ત્યાં આવી જતાં ફરીયાદીના પતિને માર મારવાથી બચાવવા જતાં આરોપી વિજયભાઈએ તેના હાથમાં રહેલ લાકડીથી ફરીયાદીના પિતાને કપાળના ભાગે મારીને ઈજાઓ કરી હતી અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને લાકડી તથા લોખંડના પાઈપથી જીવલેણ ઘા મારીને ઈજા કરી ખુન કરેલ હતું જેની માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયેલ હતી. અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જેમા આરોપીઓ અરૂણભાઈ અવચરભાઈ ઈન્દરીયા અને અશોકભાઈ અવચરભાઈ ઈન્દરીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે એડવોકેટ મારફત દલીલ કરવામાં આવેલ કે મરણજનારને આરોપીઓએ કોઈ માર મારેલ હોય તેમ નથી અને આરોપીનો કોઈ ગુાનહીત ઈતીહાસ નથી કે ગુન્હો કરવા ટેવાયેલ નથી તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ રજુ કર્યા હતા ત્યાર બાદ બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને સુપ્રીમ કોર્ટનું સંજયચાંદ્રા વી. સી.બી.આઈ નુ જજમેન્ટ ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ છે આ કેસમાં હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોથરીયા, મોરબીના દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.




Latest News