મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગર થયેલા મારામારીના બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટાયો


SHARE











મોરબીના પ્રેમજીનગર થયેલા મારામારીના બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત: બનાવ હત્યામાં પલટાયો

મોરબીમાં મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના મળીને કુલ છ લોકોને ઈજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે અને તે પૈકીના બે ભાઇઓને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા અને બંને પક્ષેથી મારામારીની સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેવામાં આ બનાવમાં ઇજા પામેલા એક યુવકનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું છે જેથી કરીને બનાવ હત્યામાં પલટયો છે અને મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે

મોરબીના મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા (૨૯)જયેશ વેલજીભાઇ સેખવા અને સુનીલ બાબુભાઇ પરમાર (૩૦) તેમજ સામેના પક્ષના કાંતાબેન ચુનીલાલ વઘેરા (૪૦), રાકેશ ચુનીલાલ વઘેરા (૨૨), ચુનીલાલ કમાભાઇ વઘેરા (૪૫) અને સુરેશ ચુનીલાલ વઘેરા (૨૦) નામના કુલ છ લોકોને જે તે સમયે ઇજાઓ થઈ હતો અને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી હતી જેમાં વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ ત્યાં જ રહેતા ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા(૫૫), હસમુખભાઈ મોહનભાઈ વઘોરા (૨૪) રહે. બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી કેજયેશભાઇએ બાકી નીકળતા માવાના પૈસાની માંગણી કરતાં સામેવાળાઓએ ઉશ્કેરાઈ જઈને તલવાર, ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો અને ગુલાબભાઈના માથાના ભાગે તલવારનો ઘા ઝીંકી દેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે જયેશ અને સુનીલને પણ તલવાર વડે અને ધોકા-પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે અગાઉ મોહન રવજી વઘોરા (૫૫) અને હસમુખ મોહન વઘોરા (૨૪) રહે.બંને પ્રેમજીનગર વાળાની ધરપકડ કરેલ હતી અને હાલમાં મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ ગુલાબભાઈ વેલજીભાઇ શેખવા (૨૯)નું   સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી કરીને મારામારીનો બનાવ હત્યામાં પલટયો છે જેથી કરીને પોલીસે અગાઉ નોંધાયેલ ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી કરવા માટેની કવાયત હાથ ધરી છે






Latest News