મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાને કરેલા આપઘાતની જાણ જીપીએસ સિસ્ટમથી થઈ !


SHARE











મોરબી નજીક યુવાને કરેલા આપઘાતની જાણ જીપીએસ સિસ્ટમથી થઈ !

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે આવેલ કારખાના પાસે રાજસ્થાની યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પરિવાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનના બીયાવર જિલ્લાના શેરો કા બાલા વિસ્તારના રહેવાસી સુરેશસિંહ ધીરસિહ રાવત (27) નામના યુવાને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભારતનગર ગામ પાસે કેડા કારખાના પાસે પોતાનો ટ્રક ઊભો રાખીને ઝાડ સાથે કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની  નારણસિંહ ત્રીલોકસિહ રાવત (33) રહેશેરો કા બાલા જીલ્લો બિયાવર રાજસ્થાન વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, મૃતક યુવાન ગાંધીધામથી ટ્રક લઈને માલ ભરવા માટે મોરબી આવી રહ્યો હતો જો કે, ટ્રકમાં લગાવવામાં આવેલ જીપીએસ સિસ્ટમ મુજબ ટ્રક બે કલાક મોડો હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી કરીને ગાંધીધામ ઓફિસેથી મોરબી ઓફિસે જાણ કરવામાં આવી હતી જેથી મોરબી ટ્રકના લોકેશન ઉપર ગયા હતા ત્યારે રોડ સાઈડમાં ટ્રક ઊભો હતો અને ત્યાં ઝાડ સાથે યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News