મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર અને માળીયાના નાનીબરાર ગામની શાળાના વિદ્યાર્થીઓનો NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE













ટંકારાના વીરપર અને માળીયાના નાનીબરાર ગામની શાળાના વિદ્યાર્થીઓનો NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. 8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિરપર પ્રાથમિક પ્રાથમિક શાળામાંથી ધો. 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. આવી જ રીતે નાનીબરાર તાલુકા શાળાના 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરેલ છે.

માળીયા(મિ) તાલુકાની નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 9 વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્કસ સાથે આ પરીક્ષા પાસ કરેલ છે. જેમાં નેરા સુહાના, ચાવડા પ્રણાલી, ધોળકિયા પ્રિયા, નેરા મુસ્કાન, ડાંગર બંશ્રી, બકુત્રા મમતા, હેગલીયા આરતી, ટોરીયા કરણ અને કોઠીવાર મહિપતનો સમાવેશ થાય છે. જેથી શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા સહિતના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તો ટંકારા તાલુકાનાં વિરપર ગામની પ્રાથમિક શાળાના ધો. 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. જેમાંથી 12 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં નિલેશ રમેશભાઈ માલકીયા, એરામફાતમા મુસ્તાકભાઈ અન્સારી, કેવિન કુમાર વિનોદભાઈ ચાવડા, ધવલ વાલજીભાઈ ઉઘરેજા, માન્યતા જીગ્નેશ ભાઈ ચાવડા, તુષાર રમેશભાઈ રાઠોડ, મોમયો કિશોરભાઈ રાકાણી, નવ્ય જગમાલભાઈ ભુંભરિયા, કલ્પેશભાઈ બાબુભાઈ નલવૈયા, ઈન્દ્રજીતકુમાર રૂપસિંગભાઈ ડામોર, મોહિતભાઈ હિમસિંગભાઈ ડામોરનો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ગોસરા સહિતના સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.






Latest News