મોરબીમાં ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં ૪૦૦ દર્દીઓએ લીધો લાભ મોરબી: 21 વર્ષના યુવાનને સાપે દંશ દેતા 108 ની ટીમે જીવ બચાવ્યો મોરબી નજીકથી સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત નિપજતા ઓળખ મેળવવા તજવીજ ટંકારાના લક્ષ્મી નારાયણ ચોકમાં કાલે શિવાજી મહારાજના જીવન ઉપર આધારિત રાષ્ટ્રકથાનું આયોજન મોરબીમાં પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીના મકનસર પાસેથી 78 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ મોરબીમાં રહેતા આગેવાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિતે સરકાર સમક્ષ મૂકી ચાર માંગ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીલાલ સરડવાએ કર્યું 49 મી વખત રક્તદાન
Breaking news
Morbi Today

મોરબીમાં બોગસ પેઢી ઉભી કરવાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ


SHARE













મોરબીમાં બોગસ પેઢી ઉભી કરવાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ

મોરબીમાં વર્ષ ૧૯૯૫-૯૬ માં સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોટા સહી-સીકકાઓ, બીલ બુક છાપીને ગોપાલ બ્રધર્સ નામની બોગસ પેઢી ઉભી કરી તેલના ડબ્બાની વંહેચણી કરવાના ગુનામાં ફરીયાદ નોંધાતા પોલીસ ઘ્વારા પાંચ આરોપીઓ વિરુધ્ધ આઇપીસીની કલમ ૪૬૮, ૪૭૧ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા ૧૯૫૫ ની કલમ કલમ- ૩, ૭ હેઠળનો ગુનો નોંધી ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આ કેસ મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં આ ગુનામાં પાંચેય આરોપીઓને ચીફ કોર્ટે નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.

જેમાં આરોપી વિનુભાઈ લાખાભાઈ મિયાત્રા અને રમેશભાઈ મેરૂભાઈ કાકરેશા તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કિશનસિંહ જાડેજા રોકાયેલ હતા, આરોપી પિયુષ મોહનભાઈ સરખેડી, સવજીભાઈ રામજીભાઈ ચૌહાણ અને કાંતીલાલ લખમણભાઈ ભોરણીયા વતી વકીલ આશિષ દયાલજીભાઈ ચાવડા રોકાયેલ હતા. આ કેસમાં આરોપીઓના વકીલોએ કરેલ ધારદાર દલીલો તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કર્યા હતા હતા જેને ધ્યાને લઈને મોરબીની ચીફ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે મોરબીના વકીલ મીતરાજસિંહ કે.જાડેજા, આશિષ ડી.ચાવડા, અલ્પેશ પી.હાલપરા, સુરેશ આર.વાધાણી અને બી.સી.વૈષ્નાણી રોકાયેલ હતાં.






Latest News