મોરબીમાં બોગસ પેઢી ઉભી કરવાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ
મોરબી તાલુકામથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની સુરતથી ધરપકડ
SHARE






મોરબી તાલુકામથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની સુરતથી ધરપકડ
મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ભોગબનનારને તાલુકા પોલીસ શોધી કાઢેલ છે અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જેમાં ફરિયાદી જણાવ્યુ હતું કે, બનાવ તા-૦૨/૦૨/૨૦૨૫ ના બપોરના સમયે લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાં બનેલ છે.આ ગુન્હો તા.૨૯/૦૩/૨૦૨૫ ના કલાક ૨૦/૨૩ વાગ્યે જાહેર થયેલ હતો અને આરોપીએ સાહીલ દયારામ ફરીયાદીની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા. અને તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા જુદીજુદી ટીમો બનાવીને ભોગબનનારને શોધવા અને આઓરપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં હરદિપસિંહ ઝાલા, કુલદિપભાઇ કાનગડ તથા હરવિજયસિંહ ઝાલાએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવીને ભોગબનનાર તથા આરોપીને સુરત શહેર પાંડેસરા ગુ.હા.બોર્ડ ઉમીયા રેસીડેન્સી ખાતેથી શોધી કાઢ્યા હતા અને આરોપી સાહુલ ઉફે સાહિલ દયારામ લોદી (૨૦) રહે. બડેગાવ મશરીયા થાના ગાજીપુર જીલ્લો ફતેપુર ઉતરપ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને સગીરાને તેના માતા પિતાને સોંપી દેવામાં આવેલ છે

