નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું: દીકરીનું મોત, માતા સારવારમાં


SHARE





મોરબીના મચ્છુ-૩ ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું: દીકરીનું મોત, માતા સારવારમાં

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ અવધ-૧ સોસાયટીમાં રહેતી મહિલાએ તેમની દીકરી સાથે મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું.ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે ૧૯ વર્ષની દીકરીનું મોત નીપજ્યું છે.જ્યારે માતાને બચાવીને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે.જોકે માતા-પુત્રીએ સજોડે કયા કારણોસર મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું ? તે કારણ હજુ અકબંધ છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અવધ-૧ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ બોપલિયાના પત્ની કંચનબેન વિનોદભાઈ બોપલિયા તથા ૧૯ વર્ષની દીકરી કુંજનબેન વિનોદભાઈ બોપલિયાએ આજે તા.૭--૪ ના બપોરના સમયે કોઈ કારણોસર મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું.જેથી પાણીમાં ડૂબી જવાના કારણે કુંજનબેન વિનોદભાઈ બોપલિયા (૧૯) નું મોત નીપજ્યું હતું. જોકે કંચનબેનને બચાવીને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા. અને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં કંચનબેનના પિતરાઈ ભાઈ જયેશભાઇ પાસેથી મળતી વિગત પ્રમાણે વિનોદભાઈ બોપલિયા ટાઇલ્સનું માર્કેટીંગનું કામકાજ કરે છે અને તેમની એકની એક દીકરી કુંજનબેન બોપલિયા બીએસસીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.જોકે માતા-પુત્રીએ સજોડે ક્યા કારણોસર મચ્છુ-૩ ડેમમાં ઝંપાવ્યું હતું ? તે હજુ સુધી સામે આવ્યું નથી.જેથી કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.




Latest News