મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું: દીકરીનું મોત, માતા સારવારમાં


SHARE







મોરબીના મચ્છુ-૩ ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું: દીકરીનું મોત, માતા સારવારમાં

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ અવધ-૧ સોસાયટીમાં રહેતી મહિલાએ તેમની દીકરી સાથે મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું.ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે ૧૯ વર્ષની દીકરીનું મોત નીપજ્યું છે.જ્યારે માતાને બચાવીને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે.જોકે માતા-પુત્રીએ સજોડે કયા કારણોસર મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું ? તે કારણ હજુ અકબંધ છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અવધ-૧ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ બોપલિયાના પત્ની કંચનબેન વિનોદભાઈ બોપલિયા તથા ૧૯ વર્ષની દીકરી કુંજનબેન વિનોદભાઈ બોપલિયાએ આજે તા.૭--૪ ના બપોરના સમયે કોઈ કારણોસર મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું.જેથી પાણીમાં ડૂબી જવાના કારણે કુંજનબેન વિનોદભાઈ બોપલિયા (૧૯) નું મોત નીપજ્યું હતું. જોકે કંચનબેનને બચાવીને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા. અને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં કંચનબેનના પિતરાઈ ભાઈ જયેશભાઇ પાસેથી મળતી વિગત પ્રમાણે વિનોદભાઈ બોપલિયા ટાઇલ્સનું માર્કેટીંગનું કામકાજ કરે છે અને તેમની એકની એક દીકરી કુંજનબેન બોપલિયા બીએસસીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.જોકે માતા-પુત્રીએ સજોડે ક્યા કારણોસર મચ્છુ-૩ ડેમમાં ઝંપાવ્યું હતું ? તે હજુ સુધી સામે આવ્યું નથી.જેથી કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News