ફાયરિંગ કા બદલા ફાયરિંગ: માળીયા મીયાણામાં ઘરના ફળિયામાં બેઠેલા ટ્રાન્સપોર્ટ ઉપર જુની અદાવતનો ખાર રાખીને ફાયરિંગ કરીને કરાઇ હત્યા મોરબીના ખારચીયા ગામે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબી સ્પામાં ગયેલ યુવાનને મસાજ ૧૯ લાખમાં પડ્યો, મહિલા સહિત ત્રણ સામે હનીટ્રેપની ફરિયાદ વાંકાનેરમાંથી ડુપ્લીકેટ નંબર પ્લેટ વાળા બુલેટ સાથે એક શખ્સ પકડાયો માળીયા (મી)ના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો: બીજા 4 મંદિરની ચોરીનો ભેદ ઉકેલાયો હળવદના ટીકર ગામે રેતી માફિયા ઉપર રેન્જ આઇજીની ટિમ ત્રાટકી: ૮૦ લાખનો મુદામાલ કબ્જે આયુષ્માન ભારત-PMJAY યોજના આશીર્વાદ સમાન: મોરબીની ખાનગી હોસ્પિટલમાં વીરપરના મહિલાની તદ્દન મફત ડિલિવરી વાંકાનેરમાં લગ્ન કરવા ઘર છોડી નીકળેલી ૧૭ વર્ષની કિશોરીનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યું
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું: દીકરીનું મોત, માતા સારવારમાં


SHARE











મોરબીના મચ્છુ-૩ ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું: દીકરીનું મોત, માતા સારવારમાં

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ અવધ-૧ સોસાયટીમાં રહેતી મહિલાએ તેમની દીકરી સાથે મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું.ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે ૧૯ વર્ષની દીકરીનું મોત નીપજ્યું છે.જ્યારે માતાને બચાવીને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે.જોકે માતા-પુત્રીએ સજોડે કયા કારણોસર મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું ? તે કારણ હજુ અકબંધ છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અવધ-૧ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ બોપલિયાના પત્ની કંચનબેન વિનોદભાઈ બોપલિયા તથા ૧૯ વર્ષની દીકરી કુંજનબેન વિનોદભાઈ બોપલિયાએ આજે તા.૭--૪ ના બપોરના સમયે કોઈ કારણોસર મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું.જેથી પાણીમાં ડૂબી જવાના કારણે કુંજનબેન વિનોદભાઈ બોપલિયા (૧૯) નું મોત નીપજ્યું હતું. જોકે કંચનબેનને બચાવીને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા. અને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં કંચનબેનના પિતરાઈ ભાઈ જયેશભાઇ પાસેથી મળતી વિગત પ્રમાણે વિનોદભાઈ બોપલિયા ટાઇલ્સનું માર્કેટીંગનું કામકાજ કરે છે અને તેમની એકની એક દીકરી કુંજનબેન બોપલિયા બીએસસીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.જોકે માતા-પુત્રીએ સજોડે ક્યા કારણોસર મચ્છુ-૩ ડેમમાં ઝંપાવ્યું હતું ? તે હજુ સુધી સામે આવ્યું નથી.જેથી કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News